News Portal...

Breaking News :

વહીવટી તંત્ર દ્વારા આરોપીઓ અને અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ

2026-04-21 11:49:18
વહીવટી તંત્ર દ્વારા આરોપીઓ અને અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ


અમદાવાદ : જિલ્લાના ધંધુકા પંથકમાં યુવકની હત્યાના મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે (21મી એપ્રિલ) વહીવટી તંત્ર દ્વારા આરોપીઓ અને અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. 


પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધંધુકાના ખાટકી વાડ વિસ્તારમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.ગત શનિવારે (18મી એપ્રિલ) ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ પંથકમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. 


તંત્રએ આજે વહેલી સવારથી જ ખાટકી વાડ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં ચારથી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે હવે હાઇવે પર આવેલા ગેરકાયદે દબાણો, દુકાનો અને લારી-ગલ્લાઓ પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Reporter: admin

Related Post