વડોદરાના બરાનપુરા વિસ્તારમાં પેટ્રોલ પંપની સામે આવેલી બકરાવાડી ખાતેના નારાયણ એવન્યુ કોમ્પ્લેક્સમાં સનસનાટી મચી ગઈ છે.

અહીં રીટાબેન સોલંકી નામની મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે.હત્યાનું કારણ: પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલી રહ્યો હતો. આ વિવાદ એટલો વકર્યો કે પતિ બંટી સોલંકીએ આવેશમાં આવી પોતાની પત્નીની હત્યા કરી નાખી રાત્રિ ના સમયે બનેલી આ ઘટના ની જાણ થતા જ વાડી પોલીસ અને નવાપુરા પોલીસનો સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ પણ સ્થળ પર પહોંચીને પુરાવા એકત્રિત કર્યા છે

મૃતક રીટાબેનને સંતાનમાં બે પુત્ર છે, જેમણે આજે માતાની છત્રછાયા ગુમાવી છે.પોલીસે હાલમાં આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે

Reporter: admin







