વડોદરા : ઇલેક્શન વોર્ડ નં 13 મા આવેલ ખંડેરાવ માર્કેટ ચારરસ્તા થી ગુરુદ્વારા સુધીના લારી, પથારા સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે લાગતા લારી ગલ્લાઓના,પથારાવાળાઓના દબાણો દૂર કરવામાં આવે છે પરંતુ ખુદ વડોદરા મહાનગરપાલિકા ની જ્યાં મુખ્ય કચેરી આવેલી છે ત્યાં જ મોટાભાગનું દબાણ જોવા મળે છે એક રીતે કહી શકાય કે દિવા તળે જ અંધારું તેની પાછળનું કારણ હપ્તારાજ તથા શાકભાજી અને ફ્રૂટના ગેરકાયદેસર પથારા અને લારીઓ પરથી પાલિકાના કેટલાક અધિકારીઓ તથા કોર્પોરેટટરો માટે શાકભાજી અને ફ્રૂટ્સ પહોંચી જાય છે.પાલિકાના પટાવાળા કે સિક્યુરિટી ને મોકલી આ શાકભાજી અને ફળો મંગાવવામાં આવે છે અને બદલામાં આ લોકોને ગેરકાયદેસર પથારા લગાવવા દેવામાં આવે છે.

જ્યારે મિડિયા અને લોકો દબાણો વિશે મુદો ઉછાળે ત્યારે પાલિકાના કેટલાક ફૂટેલી કારતૂસ અને મફતિયા શાકભાજી અને ફળો લેતાં ભ્રષ્ટાચારીઓ દબાણશાખા આવતા પહેલાં એ લારી ગલ્લા પથારાવાળાઓને સૂચના આપી દેતા લારી ગલ્લા પથારાવાળા હટી જતાં હોય છે અને માત્ર દેખાડા પૂરતી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે ત્યારબાદ એકાદ કલાકમાં જ ફરીથી પરિસ્થિતિ જૈસે થે ની થઇ જાય છે જેના કારણે આ રસ્તે થી રાહદારીઓ અને વાહનદારીઓ તથા ઇમરજન્સી વાહનોને અવરજવર માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે.અહી પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને હપ્તાલેતા કેટલાક કોર્પોરેટર અને અધિકારીઓ ને કારણે અહીં રોજબરોજના દબાણો માથાનો દુખાવો સમાન બની રહ્યા છે ત્યારે આજે પણ વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા ની ટીમે પોલીસને સાથે રાખી ખંડેરાવ માર્કેટ ચારરસ્તા થી ગુરુદ્વારા સુધીના દબાણો દૂર કરવાની કામગીરી બતાવી હતી.





Reporter: admin