વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘદર્શી વિઝનને એકતા નગર ખાતે સાકાર થતા જોઈને ખુબ આનંદની અનુભૂતિ થઇ - નિમુબેન બાંભણીયા - કેન્દ્રીય ગ્રાહકોની બાબતો, અન્ન અને જાહેર વિતરણ રાજયમંત્રી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિકસેલા પ્રવાસન સ્થળોએ ખુબ સુંદર આકર્ષણ જમાવ્યું છે અને સમગ્ર વિસ્તારનું કુદરતી સૌંદર્યની જાળવણી કરી અને પ્રકૃતિને સાથે રાખી એક અદભુત એકતાનગર બન્યું છે - નિમુ બાંભણીયા

એકતા નર્સરી અને વામન વૃક્ષ વટીકાની મુલાકાત લઇને ભારતની સમૃદ્ધ વનસ્પતિ શાસ્ત્રથી અવગત થયા,એકતા ટ્રાયબલ કાફેમાં આદિવાસી બહેનોના હાથે બનેલ ભોજન લીધુએકતા નગર:- લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી ભાગરૂપે શ્રદ્ધાંજલી અર્પિત કરતા કેન્દ્રીય ગ્રાહકોની બાબતો, અન્ન અને જાહેર વિતરણ રાજયમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું કે, આજે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી ઉંચુ સ્ટેચ્યુ અહીં આકાર પામ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘદર્શી વિઝનને એકતા નગર ખાતે સાકાર થતા જોઈને ખુબ આનંદની અનુભૂતિ થઇ છે. મંત્રી બાંભણીયાએ ઉમેર્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરા અર્થમાં "એક ભારત, શ્રેષ્ઠ ભારત"ની વિભાવનાને ચરિતાર્થ કરી રહ્યું છે. અહીં વિકસેલા પ્રવાસી સ્થળોએ ખુબ સુંદર આકર્ષણ જમાવ્યું છે અને સમગ્ર વિસ્તારનું કુદરતી સૌંદર્યની જાળવણી કરી અને પ્રકૃતિને સાથે રાખી એક અદભુત એકતા નગર બન્યું છે.

સરદાર વલ્લભભાઈ પટેલના ઉત્કૃષ્ટ યોગદાનને કોટિ-કોટિ વંદન. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની યુવા પેઢીને શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. કેન્દ્રીય મંત્રી નિમુ બાંભણીયાએ, એકતા નગરની મુલાકાત વેળાએ સૌ પ્રથમ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. પ્રથમ નજરે સરદાર સાહેબની ભવ્યાતિભવ્ય પ્રતિમા નિહાળી તેઓ અભિભૂત થયા હતા. તેમણે, સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાર્પણ કરીને ભાવવંદના કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલ પ્રદર્શન ગેલેરીની મુલાકાત લઈને સરદાર સાહેબના જીવન કવન, સ્વતંત્રતા ચળવળ અને દેશી રજવાડાઓના એકીકરણ અંગેના દસ્તાવેજો તથા તસ્વીરી ઝલકો નિહાળી અને વ્યુઇંગ ગેલેરી ખાતેથી વિધ્યાંચલ અને સાતપુડાની ગિરીમાળાઓ, આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. મંત્રીએ ખાસ કરીને હાલમાં જ પ્રદર્શન કક્ષ ખાતે નિર્માણ કરાયેલા નવા વિભાગની મુલાકાત કરી હતી, આ વિભાગમાં સરદાર પટેલ પર આઝાદીની ચળવળ અને ભારતના એકીકરણ સમયે ભાવનગર અને વડોદરા શહેરમાં થયેલ હુમલાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. મુલાકાતના અંતે મંત્રીએ નોંધપોથીમાં પોતાના ભાવસભર પ્રતિભાવો નોંધ્યા હતાંએકતા નગરની મુલાકાત વેળાએ એકતા નર્સરી અને વામન વૃક્ષ વાટીકાની મુલાકાત લઇને ભારતની સમૃદ્ધ વનસ્પતિ શાસ્ત્રથી અવગત થયા હતા અને વામન વૃક્ષ બનાવવાની રીત જોઇ હત,મુલાકાત બાદ એકતા ટ્રાયબલ કાફેમાં આદિવાસી બહેનોના હાથે બનેલ ભોજન લઇને પ્રસન્નતા વ્યકત કરી હતી. મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર સર્વશ્રી ગોપાલ બામણીયા,દર્શક વિઠલાણી,નાયબ કલેકટર સર્વશ્રી નાયબ પ્રોટોકોલ કલેકટર એન.એફ.વસાવા અને જિલ્લા પુરવઠા અધિકારી વી.બી.દરજી ઉપસ્થિત રહ્યા હતા.



Reporter:







