ઓહાયોના ક્લીવલેન્ડનું ૧૦૦ વર્ષ જૂનું ચર્ચ અને રાલે તથા ફ્રીમોન્ટ કેલિફોર્નિયામા ભૂમિસંપાદ કરીને ,
૧૫ થી વધુ સરકારી મંજૂરીઓ બાદ મંદિરોનું નિર્માણ...રૂા. ૧૮૦ કરોડના ખર્ચે સનાતન હિન્દુ પરંપરાની ધજાઓ ફરકાવી..

વડતાલઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામ દ્વારા વિદેશની ધરતી પર એક વર્ષમાં ત્રણ ત્રણ મંદિરોની પ્રતિષ્ઠા, પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે સંપન્ન થઈ ..આચાર્ય મહારાજ તથા વડતાલ - ગઢડા- જુનાગઢ- ધોલેરાના વરિષ્ઠ પૂ.સંતોની ઉપસ્થિતીમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયા. વડતાલ ચેરમેનશ્રી ડો સંતવલ્લભ સ્વામી - ગઢપુર ચેરમેન હરિજીવન સ્વામી , જુનાગઢના ટ્રસ્ટી સરજુદાસાનંદજી વગેરે ૩૦ વધુ સંતોની ઉપસ્થિતિમાં વડતાલ સંપ્રદાયના ભક્તોના મન હિલોળે ચડ્યા .. વર્ષોની તપશ્ચર્યા મંદિર રૂપે મૂર્તિમંત થઈ..વિશેષમાં ઓહાયો રાજ્યમાં ક્લીવલેન્ડમાં પૂ.નિત્યસ્વરૂપદાસજી સ્વામી-સરધાર દ્વારા હરિભક્તોના આર્થિક સહાયથી, નોર્થ કેરોલિના રાજ્યના રાલે શહેરમાં પૂ.ભક્તિપ્રકાશદાસજી સ્વામી - ભુલેશ્વર દ્વારા હરિભક્તોના સહયોગથી તથા કેલિફોર્નિયાના સાનહોજે - ફ્રિમોન્ટ શહેરમાં પૂ.દેવપ્રકાશદાસજી સ્વામી દ્વારા હરિભક્તોના સાથ સહકારથી મંદિર નિર્માણ કરવામાં આવેલ છે. આ ત્રણેય મંદિરોમાં મૂર્તિઓ અને સિંહાસનો ભારતમાં તૈયાર કરીને વડતાલ સંસ્થા દ્વારા મોકલવામાં આવ્યા છે. વિદેશની ધરતી પર સ્વામિનારાયણ મંદિરોનું નિર્માણ કરવા પાછળનું કારણ એટલું છે કે, આવનારી પેઢીને સંપ્રદાય તથા ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન મળે તથા ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિ સાથેનું જોડાણ વધુ મજબુત બને એવા પ્રયાસો સાથે વિદેશની ધરતી સંપ્રદાયના અનુયાયીઓ સક્રિય રહ્યા છે.. સનાતન પરંપરામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું આગવું યોગદાન રહ્યું છે તેનો જીવંત પુરાવો છે.

વિદેશની ધરતી પર આ મંદિરો બનાવવા માટે ઘણી બધી તકલીફોનો પૂ.સંતો-હરિભક્તોએ સામનો કરવો પડ્યો છે. જેમ કે જમીન સંપાદનથી લઈને બાંધકામ સુધીમાં ઘણા વિઘ્નો આવ્યા... બીજુ નાણા, માણા અને પાણીની તંગી વચ્ચે સ્થાનિક હરિભક્તોના સમર્પણ તથા પૂ.સંતોના માર્ગદર્શનથી તેમજ સ્થાનિક હરિભક્તોએ દાન તો આપ્યું છે પરંતુ તેઓએ મંદિર નિર્માણ માટે લોન પણ આપી છે. અને આમ કરી ફ્રિમોન્ટ મંદિર ૧૨ વર્ષના પ્રયાસોના અંતે પૂર્ણ થયું છે. તેમજ દરેક મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણજી, શ્રી હનુમાનજી, શ્રી ગણેશજી વગેરે સ્વરૂપોની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે.વધુમાં આ ત્રણેય મંદિરની પ્રતિષ્ઠાવિધિ વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે સંપન્ન થઈ છે. આ પ્રસંગે હરિચરણદાસજી ધોલેરા - માધવપ્રકાશ સ્વામી નાસિક , સુર્યપ્રકાશ સ્વામી- સારંગપુરવાળા , હરિપ્રસાદજી સ્વામી ગઢપુર - રામદાસજી સ્વામી - સમરસેટ ન્યુજર્સી, વગેરે વડતાલ, ધોલેરા, જુનાગઢ, ગઢડા ધામે ધામથી સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા..
અમેરિકામાં પ્રતિષ્ઠા કાર્યક્રમની તવારીખ..
તા.૧૭ થી ૨૪ જુન, ૨૦૨૫ ક્લીવલેન્ડ ઓહાયો - પૂ. શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી–સરધાર
તા.૨૫ થી ૨૯ જુન, ૨૦૨૫ રાલે-નોર્થ કેરોલિના - પૂ.શ્રી શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી
તા. ૩૦ જુન થી ૪ જુલાઈ, ૨૦૨૫–સાનહોજે કેલિફોર્નિયા-પૂ.શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી-ડાવની

Reporter: admin







