News Portal...

Breaking News :

લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી

2025-08-21 13:05:35
લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી


ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.



ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજી વડોદરા શહેરના ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે. જેઓ છેલ્લા 80 વર્ષથી ગણેશજીની મૂર્તિ બનાવે છે. આ મૂર્તિ બનાવતી વખતે ખાસ પ્રકારની કાળજી રાખવી પડે છે.આ મૂર્તિની હાઈટ 36 ઈંચની જ રાખવાની હોય છે. પ્રતિમાની વિશેષતા વિશે વાત કરતા હાલના પરિવારની આગળની પેઢીના મૂર્તિકાર લાલસિંહ ચવ્હાણ કહે છે કે, જે તે સમયે આ પ્રતિમા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેને લઈને કાશીના પંડિતોને ત્રીજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવ્યા હતા અને પહેલા તો શાસ્ત્રોક્ત રીતે ગણેશ પ્રતિમા કયા પ્રકારની હોવી જોઈએ તેનું ડ્રોઈંગ તૈયાર કરીને બતાવ્યું હતું. 


પ્રતિમાના નિયમો નક્કી કરાયા હતા અને ત્યારબાદ પ્રતિમા તૈયાર કરનાર મૂર્તિકાર સ્વ. કૃષ્ણારાવ ચવ્હાણ દ્વારા તૈયાર કરાયેલી આ ગણેશ પ્રતિમાને પેલેસમાં બિરાજમાન કરાવવા માટે પસંદ કરવામાં આવી હતી. અને ત્યારથી જ આ જ સુધી એટલે કે આ વર્ષ 84 માં ગણેશોત્સવમાં પણ આવી જ પ્રતિમા બનાવવામા આવે છે 

Reporter: admin

Related Post