જુના પૌરાણિક ત્રિકમજી મંદિર પર ગેરકાયદેસર કબ્જા બદલ બાબુલાલ શાહ, મોહમ્મદ અસગર પઠાણ, નિઝામુદ્દીન શેખ, મોહમ્મદ બીલાલ શેખ, જીશાન કાદરી, રોહન કાદરી અને સદ્દામ હુસેન કુરેશી વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો
અમદાવાદ : શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા 700 વર્ષ જુના પ્રાચીન ત્રિકમજી મંદિરની કરોડો રૂપિયાની જમીન ભૂમાફિયાઓએ ગેરકાયદે કબજે કરી બારોબાર વેચી દીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સાત લોકો વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદમાં બેની ધરપકડ કરવામાં આવી હોવાનું ગાયકવાડ હવેલી પોલીસ મથકે જણાવ્યું છે. આ સાત ભૂમાફિયાઓએ બોગસ દસ્તાવેજ અને ઠરાવ પસાર કરીને ચેરીટી કમિશનરના તાબાની જમીનનો બોગસ વેચાણ દસ્તાવેજ તૈયાર કર્યો હતો.જાહેર ટ્રસ્ટની માલિકીની જમીનના મામલે હાઈકોર્ટે વેચાણ પર રોક મૂકી હોવા છતાં 2.36 લાખ કરોડ રૂપિયામાં સોદો કરવામાં આવ્યો છે. જાહેર ટ્ર્સ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રિજેશ પરમારે ગાયકવાડ હવેલી પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, જમાલપુરમાં સ્થિત 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિરની નોંધણી બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ 1951માં થઈ હતી. જેમાં ચેરીટી કમિશનર ગુજરાત રાજ્ય દ્વારા ભોગીલાલ ત્રિકમલાલ, મહંત સીયારામ દાસજી, કાંતિલાલ શાહ અને બાબુભાઈ રાવલની ટ્રસ્ટી તરીકે નોંધણી કરવામાં આવી હતી. ત્યારબાદ કોઇ ટ્રસ્ટી ન હોવાથી આ મંદિરની જમીનની માલિકી ચેરીટી કમિશનર કચેરીની થઈ હતી. ઓક્ટોબર 1999માં શિવરામદાસજી વૈષ્ણવ અને મહંત ગુરૂમોરલીદાસજી મંદિરની જમીન ઓનર્સ એસોસિએશન વતી બાબુભાઈ શાહને વેચાણે આપવામાં આવી હતી.
પરંતુ, આ જમીનના વેચાણ માટે ચેરીટી કમિશનરની મંજુરી લેવામાં આવી નહોતી. જે અનુસંધાનમાં કોર્ટમાં કેસ દાખલ થયો હતો. ત્યારબાદ હાઇકોર્ટમાં સહલ ઓનર્સ એસોસિએશન વિરૂદ્ધ દાવો કરવામાં આવ્યો હતો. જેમાં હાઈકોર્ટના ચુકાદા અનુસંધાનમાં સહલ ઓનર્સ અને ચેરીટી કમિશનર જમીન વેચાણ કે અન્ય કોઈ નિર્ણય ન લઈ શકે અને 1999માં બનાવવામાં આવેલો દસ્તાવેજ કોર્ટમાં સુનાવણીમાં હતો.જમાલપુરમાં આવેલા 700 વર્ષ જુના પૌરાણિક ત્રિકમજી મંદિર પર ભુમાફીઆઓનો ગેરકાયદેસર કબજો કરતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 700 વર્ષ જુના પૌરાણિક ત્રિકમજી મંદિર પર ગેરકાયદેસર કબ્જા બદલ બાબુલાલ શાહ, મોહમ્મદ અસગર પઠાણ, નિઝામુદ્દીન શેખ, મોહમ્મદ બીલાલ શેખ, જીશાન કાદરી, રોહન કાદરી અને સદ્દામ હુસેન કુરેશી વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. વસ્ત્રાપુર બહુમાળી ભવન મંદિર ટ્રસ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રિજેશ પરમારે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. ગાયકવાડ પોલીસે ફરિયાદના આધારે આરોપી બિલાલ શૈખ અને અન્ય એક આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ફરિયાદમાં દર્શાવેલ આરોપી બાબુલાલ શાહ અને નિઝામુદ્દીન શૈખ મૃત્યુ પામ્યા છે.
Reporter: admin