જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકી જણાવ્યું હતું કે જૈન ધર્મ મુજબ મોક્ષ ત્યારે જ મળે જયારે દીક્ષા લઇ સંયમ જીવન અંગીકાર કરે. તેથી વડોદરાના ઉદ્યોગપતિ ગિરિશભાઈ શાહ અને પ્રજ્ઞાબેનની દીકરી જીગીશા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સાયન્સ ગ્રેજ્યુએટ બની અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ શૈલ શાહ સાથે લગ્ન કર્યા અને બે દીકરાઓનો જન્મ થયો.

પ્રજ્ઞાબેનના બહેને દીક્ષા લીધી હતી તેથી તેમના પગલે પગલે બંને દીકરાઓએ દીક્ષા લીધી અને માસી મહારાજ જીનેન્દ્રશ્રીજી મહારાજની પ્રેરણા થી જીગીશાબેનના બંને દીકરાઓએ મુંબઈ ખાતે દીક્ષા લીધી હતી. અને પ્રવરભૂષણ વિજયજી અને રત્નભૂષણવિજયજી તરીકે જૈન મુનિ બની સુંદર મજાનું સંયમ જીવન જીવી આત્મ કલ્યાણ ની આરાધના કરી રહ્યા છે.વધુમાં મુમુક્ષુ દિક્ષાર્થી જીગીશાબેન ના પિતા ગિરિશભાઈ શાહે જણાવ્યું હતું કે આજે અમારા પરિવાર માંથી બે દીકરાઓ પછી માતા જીગીશાએ પણ સંસાર અસાર છે જાણી ને અમદાવાદ ના બોપલ ખાતે પાવાપુરી ઉપધાન મંડપમાં આજે શુભ મુહૂર્ત માં જૈનો ના દિગ્ગજ ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણસુરી મહારાજ ( પંડિત મહારાજ)ની નિશ્રામાં ભાગવતી પ્રવજયા ગ્રહણ કરી ઓઘો લઈ ને મંડપ માં નાચી ઉઠ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસથી આ ચારિત્ર્ય ધર્મોત્સવ માં વસ્ત્રો રંગવાનો, વર્ષીદાન નો વરઘોડો તથા અંતીમ સાંસારીક વિદાય ના કાર્યક્રમો યોજાયા હતા.દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘ ના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે જીગીશાબેન સાથે ભગવાન સમક્ષ નાણ માંડી સમોસરણ રચી ચતુર્મુખી પરમાત્મા ની પ્રતિમા સમક્ષ દિનેશભાઈ કોઠારી, કાજોલબેન તથા વંશીબેન શાહે પણ આજે ઓઘો ગ્રહણ કરી દિક્ષા લીધી હતી. દિક્ષા બાદ આચાર્ય યુગભૂષણસુરી મહારાજે જીગીશાબેન ને નવું નામ જીનદૃષ્ટિશ્રીજી મહારાજ જાહેર કરતા લોકો એ હર્ષ થી વધાવી લઈ દીક્ષાર્થી અમર રહો ના જયકારા થી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું.અલકાપુરી જૈન સંઘ ના પ્રમુખ CA હિંમતભાઈ શાહ, દિલેશ મહેતા, જયેન્દ્રભાઈ શાહ તથા વડોદરામાંથી વિવિધ સંઘ ના અગ્રણીઓ મોટી સંખ્યામાં દિક્ષા ના કાર્યક્રમ માં ઉમટી પડ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.





Reporter: admin







