News Portal...

Breaking News :

દેવબંદમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં ભયાવહ વિસ્ફોટ: નવ શ્રમિકોના ચીથરાં ઉડી ગયા

2025-04-26 12:44:18
દેવબંદમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં ભયાવહ વિસ્ફોટ: નવ શ્રમિકોના ચીથરાં ઉડી ગયા


સહારનપુર :અહીંના દેવબંદમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં ભયાવહ વિસ્ફોટ થયો છે. જેમાં આખી બિલ્ડિંગ ધ્વસ્ત થઈ હતી. વિસ્ફોટ સમયે ફેક્ટરની અંદર નવ શ્રમિકો કામ કરી રહ્યા હતાં. તે તમામના ચીથરાં ઉડી ગયા હોવાની આશંકા છે. જો કે, હજી સત્તાવાર ધોરણે મૃતકોની કોઈ ખાતરી થઈ નથી. 



નિહાલ ખેડી ગામમાં ફટકડાંની ફેક્ટરીમાં શનિવારે સવારે અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેનો અવાજ બે કિમી દૂર સુધી સંભળાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં ભોગ બનનારાના પરિજનોએ રોષ વ્યક્ત કરતાં રસ્તા પર દેખાવો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે, આ ફેક્ટરી ગેરકાયદે ચાલી રહી હતી.જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ પર પ્રહાર: શોપિંયા, કુલગામ, પુલવામામાં લશ્કરના આતંકીઓના ઘર ધ્વસ્ત. 


પોલીસે જણાવ્યા પ્રમાણે, દુર્ઘટના સમયે ફેક્ટરીમાં નવ લોકો કામ કરી રહ્યા હતા. આ દુર્ધટના સ્થળે માનવ શરીરના ચીથરાં જોવા મળ્યા છે. ઘણાના હાથ-પગ છૂટા પડી ગયા છે. અમુક લોકો ફેક્ટરીની બિલ્ડિંગના કાટમાળ નીચે દબાયા હોવાની પણ આશંકા છે. દુર્ઘટના એટલી ભીષણ હતી કે, અમુક લોકોના શરીરના ટૂકડાં આશરે 200 મીટર દૂર સુધી જોવા મળ્યા હતા.

Reporter: admin

Related Post