News Portal...

Breaking News :

જે સંસ્થામાં ભણ્યા એ સંસ્થાના પ્રાચાર્ય થયાં...ડો.રંજનકૃષ્ણ ઐય્યરની અનોખી સિદ્ધિ

2025-04-12 17:51:32
જે સંસ્થામાં ભણ્યા એ સંસ્થાના પ્રાચાર્ય થયાં...ડો.રંજનકૃષ્ણ ઐય્યરની અનોખી સિદ્ધિ


મેડિકલ કોલેજ વડોદરાના ડીન પદે થઈ નિયુક્તિ...

ડો.રંજનકૃષ્ણ ઐયરને મેડિકલ કોલેજ,વડોદરાના ડીન નિયુક્ત કરવામાં આવતા એક સુખદ અને સુભગ સંયોગ સર્જાયો છે.તેઓએ તેમનું સમગ્ર તબીબી શિક્ષણ આ પ્રતિષ્ઠિત સંસ્થામાં વિદ્યાર્થી તરીકે મેળવ્યું હતું.


હવે એ માતૃ શિક્ષણ સંસ્થા અંગ્રેજીમાં આલ્મા મેટરના ડીન એટલે કે પ્રાચાર્ય તરીકે ભાવિ તબીબોનું ઘડતર કરશે.જો કે હાલમાં તેઓ પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી જ રહ્યા છે.ડો.ઐય્યરએ 1982 ની બેચમાં એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થી તરીકે મેડિકલ કોલેજ,વડોદરામાં તબીબી શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું.અહીં તેમણે એમ.બી.બી.એસ.પછી કાન,નાક ગળા ( ent)ના વિષયમાં એમ.એસ.ની પદવી મેળવી અને 1992 માં એ જ વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા અને ક્રમશઃ પ્રોફેસર અને વિભાગના વડા બન્યા.


આ પૂર્વે તેમણે કપરા કોરોનાકાળમાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષકની પડકારજનક ફરજો અદા કરી હતી. મધ્ય ગુજરાતની આ સહુ થી મોટી તબીબી સંસ્થાના તાજેતરના વિકાસ અને વિસ્તરણમાં તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને સરકારી અનુદાનો તેમજ સી.એસ.આર.હેઠળ સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોને અદ્યતન તબીબી સાધન સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.


Reporter: admin

Related Post