News Portal...

Breaking News :

કાનપુર ખાતે આવેલી પાંચ માળની ઈમારતમાં રાતે ભીષણ આગમાં પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ

2025-05-05 09:59:33
કાનપુર ખાતે આવેલી પાંચ માળની ઈમારતમાં રાતે ભીષણ આગમાં પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ


કાનપુર : અહીં ચમનગંજ વિસ્તારમાં ગાંધીનગર ખાતે આવેલી એક પાંચ માળની ઈમારતમાં રવિવારે રાતે ભીષણ આગ લાગી જતાં એક જ પરિવારના પાંચ સભ્યો મૃત્યુ પામી ગયા છે.



માહિતી અનુસાર મૃતકોમાં પતિ-પત્ની અને ત્રણ બાળક સામેલ છે. 8 કલાક સુધી તેમને બચાવવા પ્રયાસ કરાયા હતા પરંતુ છેવટે બધાના શબ જ હાથ લાગ્યા હતા. ઈમારતમાં લાગેલી ભીષણ આગને ઓલવવા માટે ફાયબ્રિગેડની એક ડઝનથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ સ્થિતિ 8 કલાકે કાબૂમાં આવી હતી. ડીસીપી દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે બે લોકોની હાલત ગંભીર છે. હાલ મેડિકલ એક્ઝામિનેશન બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. 


અમને માહિતી મળી હતી કે ત્રણ લોકો ઈમારતમાં ફસાયેલા છે પરંતુ  જ્યાં સુધી અમે કોઈ પરિણામ સુધી પહોંચીએ એ પહેલા જ પાંચ લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. આ ઈમારતના નીચલા ફ્લોર પર શૂઝનું કારખાનું હતું અને કારખાનેદાર જ ઉપર રહેતા હતા. શોર્ટ સર્કિટને કારણે આ આગ ભડકી હોવાની જાણકારી મળી રહી છે. આગની લપેટમાં શૂઝનું કારખાનું આવી ગયું હતું અને જોત જોતામાં જ આખી ઈમારત તેમાં લપેટાઈ ગઇ હતી.

Reporter: admin

Related Post