News Portal...

Breaking News :

ચૂંટણી વ્યૂહ રચનાકાર પ્રશાંત કિશોરની વહેલી સવારે ચાર વાગ્યે ધરણાં સ્થળ પરથી બળજબરીથી ઉપાડી ગઈ પ

2025-01-06 09:51:16
ચૂંટણી વ્યૂહ રચનાકાર પ્રશાંત કિશોરની વહેલી સવારે ચાર વાગ્યે ધરણાં સ્થળ પરથી બળજબરીથી ઉપાડી ગઈ પ


પટના : બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) ની 70મી પ્રિલિમ્સ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા જન સૂરજ પાર્ટીના સ્થાપક અને જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને વહેલી સવારે ચાર વાગ્યે પટના પોલીસ દ્વારા ધરણાં સ્થળ પરથી બળજબરીથી ઉપાડી લેવામાં આવ્યા હતા અને અટકાયત કરવામાં આવી હતી. 


જન સૂરજ પાર્ટીનો આરોપ છે કે પોલીસે પ્રશાંત કિશોર સાથે બર્બરતા કરી છે. પોલીસે તેમને થપ્પડ મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેમને ધરણાં સ્થળ પરથી સીધા પટના એઈમ્સમાં લઈ જવામાં આવ્યા. આ દરમિયાન પટના પોલીસ અને જન સૂરજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોરના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી.પોલીસે પ્રશાંત કિશોરને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કરતાં જ સમર્થક વિદ્યાર્થીઓએ પ્રશાંત કિશોરને ઘેરી લીધો હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ આખરે પોલીસે પ્રશાંત કિશોરને કસ્ટડીમાં લઈ લીધા હતા. વિદ્યાર્થીઓ અને પોલીસ દળ વચ્ચેની આ અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 


દરમિયાન પોલીસે ગાંધી મેદાન બહાર આવતા વાહનોનું ચેકિંગ શરૂ કર્યું છે.પ્રશાંત કિશોર BPSCની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ્દ કરવાની માંગ માટે પટનાના ગાંધી મેદાનમાં ગાંધી પ્રતિમા નીચે આમરણ ઉપવાસ કરી રહ્યા હતા. સોમવારે સવારે 4 વાગ્યે મોટી સંખ્યામાં પોલીસ આવીને પ્રશાંત કિશોરને લઈ ગઈ હતી. જન સૂરજના લોકોનો આરોપ છે કે આ દરમિયાન પોલીસે પીકેને થપ્પડ પણ મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પ્રશાંત કિશોરને પટના એઈમ્સમાં લઈ ગઈ છે, જ્યાં તેમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

Reporter: admin

Related Post