News Portal...

Breaking News :

માલદામાં આવેલી અદીના મસ્જિદ એક ઐતિહાસિક મસ્જિદને ભાજપે આદિનાથ મંદિર ગણાવી

2025-10-18 14:24:40
માલદામાં આવેલી અદીના મસ્જિદ એક ઐતિહાસિક મસ્જિદને ભાજપે આદિનાથ મંદિર ગણાવી


માલદા: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ વિવાદ સર્જાયો છે. 


આ વિવાદ માલદાની અદીના મસ્જિદના ફોટો શેર કરવાથી શરૂ થયો, જેના પગલે અનેક સવાલો ઊભા થયા. ભાજપે આ મસ્જિદને આદિનાથ મંદિર ગણાવી છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે.ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે અદીના, જેને તેઓ આદિનાથ મંદિર ગણાવે છે, તે 14મી સદીની મસ્જિદ હોવા છતાં મંદિરની ઉપર બનાવવામાં આવેલું ઐતિહાસિક સ્મારક છે. અગાઉ અહીં હિન્દુ વિધિઓ થઈ હતી, જેના પર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કાર્યવાહી કરી હતી. યુસુફ પઠાણની મુલાકાતને કારણે આ મંદિર- મસ્જિદ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે.


યુસુફ પઠાણે ગુરુવારે 'X' પર પુરાતત્વીય સ્મારકની તસવીરો શેર કરતાં લખ્યું કે, 'પશ્ચિમ બંગાળના માલદામાં આવેલી અદીના મસ્જિદ એક ઐતિહાસિક મસ્જિદ છે. ઇલિયાસ શાહી વંશના બીજા શાસક સુલતાન સિકંદર શાહે 14મી સદીમાં તેનું નિર્માણ કરાવ્યું હતું. ઇ.સ. 1373થી 1375 દરમિયાન બનેલી આ મસ્જિદ તેના સમયમાં ભારતીય ઉપખંડની સૌથી મોટી મસ્જિદ હતી, જે તે ક્ષેત્રની સ્થાપત્ય કળાની ભવ્યતાને પ્રદર્શિત કરે છે.'

Reporter: admin

Related Post