કેલિફોર્નિયા:અમેરિકામાં ફરી એકવાર હિન્દુઓના મંદિર પર હુમલો કરાયાની ઘટના બની છે. આ વખતે દક્ષિણ કેલિફોર્નિયાના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંથી એક સ્વામિનારાયણ મંદિરને અપવિત્ર કરાયું અને દિવાલો પર ભારતવિરોધી નારા લખી દેવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક મહિનામાં આ મંદિર પર હુમલાની બીજી ઘટના હતી. BAPS સ્વામિનારાયણ મંદિર મેનેજમેન્ટે આ હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું કે હિન્દુ સમુદાયના લોકો વિરુદ્ધ નફરતનું પ્રદર્શન કરતાં કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આવેલા અમારા મંદિરને નિશાન બનાવવામાં આવ્યુ છે.BAPS એ આ મામલે એક પોસ્ટ કરતાં કહ્યું કે આ વખતે ચિનો હિલ્સ કેલિફોર્નિયામાં વધુ એક મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું. અમે ચિનો હિલ્સ અને દક્ષિણ કેલિફોર્નિયામાં હિન્દુ સમુદાયના લોકો સામે નફરતને ક્યારેય પગભર નહીં થવા દઈએ.
અમારી સંયુક્ત માનવતા અને આસ્થા સુનિશ્ચિત કરશે કે શાંતિ અને સદભાવ કાયમ રહે. જોકે હજુ સુધી આ મામલે પોલીસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.અમેરિકામાં હિન્દુઓના ગઠબંધન (CoHNA) એ આ ઘટનાની ટીકા કરતાં એક પોસ્ટ કરી હતી જેમાં વધુ એક મંદિરમાં તોડફોડની ઘટનાનો ઉલ્લેખ કરાયો હતો. પોસ્ટમાં લખ્યું કે આ વખતે ચિનો હિલ્સની ઘટના BAPS મંદિરમાં બની. આ દુનિયાનો વધુ એક દિવસ છે જ્યાં મીડિયા અને શિક્ષણવિદ એ વાત પર ભાર મૂકશે કે હિન્દુઓ વિરુદ્ધ કોઈ નફરત નથી અને હિન્દુફોબિયા ફક્ત અમારી કલ્પના છે.
Reporter: