અમદાવાદ ખાતે બનેલી દુર્ઘટનામાં પ્લેનમાં સવાર વડોદરા શહેર અને જિલ્લાના ૨૦ જેટલા યાત્રીઓના પરિવારજનોના ડીએનએ મેળવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૪૦ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. આ માટે મોડી રાતે જરૂરી આદેશો કરવામાં આવ્યા છે.

BJ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર PSM વિભાગ પાસે આવેલા કસોટી ભવન ખાતે DNA સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે
DNA સેમ્પલ લીધા મેચિંગ માટે લેબમાં મોકલવામાં આવશે
ઘટનાની ગંભીરતા અને મૃતદેહ સંદર્ભે હાલની પરિસ્થિતિ જોતા આ સમગ્ર DNA મેચિંગ પ્રક્રિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ અથવા તેથી વધુ સમય લાગી શકે છે.
મૃતકોના સ્વજનો આ અંગેની વધુ માહિતી કંટ્રોલ રૂમના ફોન નંબર પરથી મેળવી શકશે.
6357373831
6357373841
Reporter: admin