News Portal...

Breaking News :

રામ જન્મ મહોત્સવ સેવા સમિતિ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

2025-04-07 15:50:05
રામ જન્મ મહોત્સવ સેવા સમિતિ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ


વડોદરા : રામ જન મહોત્સવ સેવા સમિતિ દ્વારા કાલાઘોડા સ્થિત રામ મંદિરેથી રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, જેમાં વિપક્ષી નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ સહિત અનેક ભક્તોએ ભાગ લીધો. 


ચૈત્ર સુદ નવમી, રામનવમીના પાવન દિવસે, શહેરમાં કુલ 33 સ્થળોએ શોભાયાત્રાઓનું આયોજન થયું, જેના કારણે સમગ્ર વડોદરા રામમય બની ગયું હતું. શહેરના રસ્તાઓ પર ભક્તિભાવના અને ઉત્સાહના દ્રશ્યો જોવા મળ્યા. શોભાયાત્રાઓ દરમિયાન શાંતિ અને સુરક્ષા જાળવવા માટે વડોદરા પોલીસે વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેમાં ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

Reporter: admin

Related Post