News Portal...

Breaking News :

બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળની સિંગાપોર મુલાકાત માન. ડૉ. હેમાંગ જોષી – પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકેની ઉપસ્થિતિ

2025-05-29 16:12:00
બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળની સિંગાપોર મુલાકાત માન. ડૉ. હેમાંગ જોષી – પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકેની ઉપસ્થિતિ


ઓપરેશન શિંદૂર અંતર્ગત ગ્લોબલ આઉટરીચ મિશન ના ભાગ રુપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ સંજય કુમાર ઝા ના નેતૃત્વ હેઠળ જાપાન તથા દક્ષિણ-પુર્વી દેશો ની મુલાકાત કરી રહ્યા છે જેમાં વડોદરાના લોકપ્રિય યુવા સાંસદ ડૉ. હેમાંગ જોષી, લોકસભાના માનનીય સભ્ય તરીકે, 27 મે 2025ના રોજ સિંગાપોરની મુલાકાતે આવેલા બધા પક્ષોની સંસદીય ભાગ બન્યા હતા. આ મુલાકાત ભારત સરકાર દ્વારા આયોજિત outreach પહેલનો હિસ્સો હતી, જેનું મુખ્ય ઉદ્દેશ આસપાસના દેશો સાથે આતંકવાદ સામે ભારતના સંકલ્પને વહેંચવાનો અને “ઓપરેશન સિંદૂર” તેમજ આતંકવાદ વિરોધી નવી રણનીતિની વિગતો રજૂ કરવાનો હતો.




પ્રતિનિધિમંડળમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સામેલ હતા, જેમાં ડૉ. હેમાંગ જોષી ઉપરાંત અન્ય પ્રભાવશાળી સાંસદો અને પૂર્વ રાજદૂતોએ ભાગ લીધો. પ્રતિનિધિમંડળના મુખ્ય સભ્યોમાં શામેલ હતાં:

સંજય કુમાર ઝા, રાજ્યસભા
અપરાજિતા સારંગી, લોકસભા
અભિષેક બેનર્જી, લોકસભા
બ્રિજલાલ, રાજ્યસભા
જ્હોન બ્રિટાસ, રાજ્યસભા
પ્રદાં બરૂઆહ, લોકસભા
ડૉ. હેમાંગ જોષી, લોકસભા
સલમાન ખુર્શીદ, પૂર્વ વિદેશ મંત્રી
રાજદૂત મોહન કુમાર, ફ્રાન્સ અને બહરેન માટેના ભારતના પૂર્વ રાજદૂત




મુલાકાત દરમિયાનના મુખ્ય બિંદુઓ:
પ્રતિનિધિમંડળે એડવિન ટૉંગ (કાયદા મંત્રી અને ગૃહ વિભાગ ના રાજ્ય મંત્રી), 
સિમ એન (વિદેશ અને ગૃહ વિભાગ કેબિનેટ મંત્રી), અને ડૉ. જાનિલ પથુચેરી (શિક્ષણ, સ્થિરતા અને પર્યાવરણ માટેના મંત્રી) સાથે મહત્વપૂર્ણ સંવાદ કર્યો. તથા તમામ પદાધિકારીઓએ દેશ તરફથી આતંકવાદ વિરુદ્ધ ની આ લડાઈમાં ભારતને સમર્થન જાહેર કર્યું.
સિંગાપોર તથા ભારત ના આર્થિક સંબંધો ને મજબૂત બનાવવા સિંગાપુર ના સાંસદો, ઉદ્યોગજગતના આગેવાનો, ભારતીય પ્રવાસી સમુદાય, થિંક ટેન્ક્સ, મીડિયા અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગ વિશે ચર્ચા કરવામાં આવી.
ભારતના તાજેતરના આતંકવાદ વિરોધી પ્રયાસો — ખાસ કરીને પહલગામ હુમલા પછી શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂર અને નવી રણનીતિ — અંગે સ્પષ્ટ વલણ રજૂ કરાયું.
ભારતના સ્પષ્ટ સંદેશે આ મુદ્દાઓ શામેલ કર્યા: ભારત પર આતંકી હુમલો થશે તો તેને યુદ્ધ ગણી કડક જવાબ અપાશે, ન્યુક્લિયર ધમકી સહન નહીં કરાશે અને આતંકને ટેકો આપતી સરકાર અને આતંકવાદીઓ વચ્ચે ભેદ નહીં રાખવામાં આવે.
આ સાથે વિવિધ આંતરરાષ્ટ્રીય આર્થિક તથા સલામતી બાબતો ની સંસ્થાઓ જેવીકે FATF, UNSC માં પણ સિંગાપુર ભારત નો પક્ષ મજબૂતી થી રજૂ કરે એ બાબતે ચર્ચા કરવામાં આવી.
અંતમાં, સિંગાપોર મુલાકાત પૂર્વે પ્રતિનિધિમંડળે જાપાન અને દક્ષિણ કોરાની મુલાકાત લીધી હતી અને હવે તેઓ ઈન્ડોનેશિયા અને મલેશિયા તરફ જશે.

Reporter:

Related Post