News Portal...

Breaking News :

વર્લ્ડ હેરિટેજ ડે પર વડોદરાનું રેલ્વે મ્યુઝિયમ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે

2025-04-18 14:36:20
વર્લ્ડ હેરિટેજ ડે પર વડોદરાનું રેલ્વે મ્યુઝિયમ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે


૧૮ એપ્રિલ ૨૦૨૫ ના રોજ વિશ્વ વારસા દિવસ નિમિત્તે, વડોદરાના પ્રતાપનગર ખાતે સ્થિત રેલ્વે હેરિટેજ મ્યુઝિયમ, રોલિંગ સ્ટોક પાર્ક અને હેરિટેજ પાર્ક સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી જાહેર જનતા માટે મફતમાં ખુલ્લુ મૂકવામાં આવશે.




સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર ભજન લાલ મીણાએ જણાવ્યું હતું કે પ્રતાપનગરનું આ રેલ્વે મ્યુઝિયમ ખૂબ જ ખાસ છે કારણ કે ભારતીય રેલ્વેનો જૂનો નેરોગેજ વારસો અહીં સચવાયેલો છે. આ સંગ્રહાલય આવનારી પેઢીઓને રેલ્વે ઇતિહાસ સાથે સંબંધિત બાબતો બતાવવા અને સમજાવવામાં મદદ કરશે.રેલવે વિભાગે વડોદરાના તમામ નાગરિકોને આ ઐતિહાસિક વારસાને જોવા અને તેનો લાભ લેવા વિનંતી કરી હતી 

Reporter: admin

Related Post