રામોલ પોલીસ પોસ્કોના ગુનાની તપાસમાં
લુધિયાણા ખાતે જઈ રહ્યા હતા
ચંદીગઢ : હરિયાણાના ભારત માલા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક અહેવાલ પ્રમાણે હાઈવે પર ઉભેલા ટ્રેલર સાથે ગુજરાત પોલીસની જીપની ધડાકાભેર ટક્કર થઈ હતી.
આ દુર્ઘટનામાં અમદાવાદ શહેરના 3 પોલીસ કર્મીઓના મોત નિપજ્યા છે. રામોલ પોલીસ પોસ્કોના ગુનાની તપાસમાં PSI સોલંકી અને 3 પોલીસકર્મી હરિયાણાના લુધિયાણા ખાતે જઈ રહ્યા હતા.
પોલીસ જીપમાં 4 પોલીસ કર્મી અને એક ખાનગી વ્યક્તિ સવાર હતા. તેઓ તપાસ અર્થે રાજસ્થાન ગયા હતા. મળતી માહિતી પ્રમાણે ત્રણેય મૃતક પોલીસકર્મી રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ દુર્ઘટનામાં એક PSI ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
Reporter: admin







