News Portal...

Breaking News :

ટીસીઆર એડવાન્સ એન્જીનીયરીંગ કંપનીએ તેમની ૨૫ મી એનીવર્સરીની ઉજવણી કરી

2024-12-18 11:36:18
ટીસીઆર એડવાન્સ એન્જીનીયરીંગ કંપનીએ તેમની ૨૫ મી એનીવર્સરીની ઉજવણી કરી


TCR કંપનીની સ્થાપના ૧૯૯૯ માં કરવામાં આવી હતી. સ્વ. વી. કે. બાફના અને પરેશ હરીભક્તિ, એમડી, ટીસીઆર દ્વારા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. 


અવિરત ચાલતી આ યાત્રાને ૨૫ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી સ્નેહીજનો, તેમના વિક્રેતાઓ અને કર્મચારી ગણ સાથે કરવામાં આવી હતી.TCR એન્ડવાન્સ એન્જીનીયરીંગ કંપનીનો જન્મ એન્જીનીયરીંગ સેવાઓના વિશાળ જ્ઞાન ધરાવતા વરિષ્ઠ નેતા વી.કે. બાફના અને પરેશ હરિભક્તિ વચ્ચેના સહિયારા વિઝનમાંથી થયો હતો. જેમની ધાતુશાસ્ત્ર અને ઔદ્યોગિક મુશ્કેલી નિવારણમાં ઊંડી નિપુણતાએ તેમના સહયોગ માટે પાયો નાખ્યો હતો. જે ઉચ્ચ તમામ પ્રદાન કરી શકે છે.TCR કંપનીની સ્થાપના ભારતીય ઉદ્યોગોને ઉચ્ચ સ્તરીય ઉકેલો, સલામતી, ટકાઉપણે અને વિશ્વસનીયતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. આજે ટીસીઆર એન્ડવાન્સ એન્જીનીયરીંગ કંપની ધાતુશાસ્ત્ર સંશોધન અને નિષ્ફળતા વિશ્લેષણમાં અગ્રેસર છે. 


મલ્ટીપલ સ્કેનીંગ ઇલેકટ્રોનીક માઇક્રોસ્કોપ (SEM) સહિત, કંપનીની અત્યંત અદ્યતન સુવિધાઓ અદ્યતન ટેકનિકો ધરાવે છે. જે સામગ્રીની નિષ્ફળતાના વિગતવાર વિશ્લેષણને સક્ષમ કરે છે. ટીસીઆર એન્ડવાન્સ એન્જીનીયરીંગ કંપની ૨૦ થી વધુ અનુભવી ધાતુશાસ્ત્રી એન્જીનીયરોની ટીમ ધરાવે છે.TCR કંપની યુનિવર્સિટીઓ સાથે ટાઇઅપ કરી સંશોધન આધારિત ઉકેલોમાં પ્રયત્નશીલ રહે છે. માસ્ટર અને પીએચડી વિદ્યાર્થીઓને વાસ્તવિક-વિશ્વના ઔદ્યોગિક પડકારો માટે શૈક્ષણિક સંશોધનો લાગુ કરવાની તકો પ્રદાન કરે છે. ભવિષ્યના એન્જીનીયરોને માર્ગદર્શન આપીને ભારતના ઔદ્યોગિક નવીનતાને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ રહે છે.TCR કંપની હવે માત્ર એક ભારતીય બ્રાન્ડ નથી તે એક વૈશ્વિક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થઇ છે. જે વિશ્વભરના ઉદ્યોગો માટે અદ્યતન ઉકેલો લાવે છે. વૈશ્વિક વિસ્તરણની વ્યૂહરચના ભારતીય પ્રતિભા અને નવીનતાને વિશ્વ સમક્ષ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Reporter: admin

Related Post