વડોદરા: યુ.પી.માં ધર્માંતરણ કેસમાં સંકળાયેલા વડોદરાના સલાઉદ્દીન શેખને આજીવન કેદની સજા ફટકારાઈ છે.
યુ.પી.માં ધર્માંતરણ મામલે ઉંમર ગૌતમની ધરપકડ થઈ હતી,બીજી તરફ ઉમર ગૌતમ સાથે વડોદરાનો સલાઉદ્દીન સંડોવાયેલો હતો જે કેસમાં એન.આઈ.એ. અને એટીએસએ કુલ 16 લોકોની ધરપકડ કરી હતી.ભરૂચ નો અબ્દુલ ફેફડાવાલા વિદેશ થી ફંડ મેળવતો હતો.વડોદરામાં યુ.પી.ના ધર્માંતરણ કેસમાં સંકળાયેલા વડોદરાના સલાઉદ્દીન શેખને આજીવન કેદની સજા ફટકારાઈ છે.સલાઉદીન બોગસ એન્ટ્રી પાડી નાણા મેળવતો હતો અને તે નાણા ધર્માંતરણ અને મસ્જિદો બનાવવામાં ફંડ વપરાતું હતું.
આ સમગ્ર કેસને લઈ એટીએસ અને એનઆઈએની નજર હતી,તો પોલીસે એક બાદ એક 16 લોકોની ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવી તપાસ હાથધરી હતી,સમગ્ર કેસમાં હજી કોઈ આરોપીઓને કોર્ટે જામીન આપ્યા નથી.કોર્ટે મોહમ્મદ ઓમર ગૌતમ, સલાઉદ્દીન ઝૈનુદ્દીન શેખ, મુફ્તી કાઝી જહાંગીર કાસમી, ઈરફાન શેખ ઉર્ફે ઈરફાન ખાન, ભૂપિયાબંધો માનકર ઉર્ફે અરસલાન મુસ્તફા, પ્રસાદ રામેશ્વર કંવરે, કૌશર આલમ, ડો. ફરાઝ શાહ, મૌલાના કલીમ સિદ્દીકી, ધીરજ અલી જાફરી, સરફરાઝ જાફરીની ધરપકડ કરી હતી. અબ્દુલ્લા ઉમરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
Reporter: admin