વડોદરા : ટીમ વડોદરા દ્વારા વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે વડોદરા જિલ્લા કલેકટરને આવેલા પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં વિનાશક પુર સર્જાયો હતો જેને લઇને શહેરમાં ભારે તારાજી સર્જાઈ હતી આ વિષયની ગંભીરતા જોતા રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ ને લીલી ઝંડી આપી હતી, ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનના તત્કાલીન પ્રિન્સિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા આ પ્રોજેક્ટ આગળ વધારવામાં આવ્યો હતો અને 100 દિવસના અંદર તેની કામગીરી પૂર્ણ કરવા તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. દિલીપ રાણાના બદલી બાદ હવે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ દ્વારા સમાપ્ત કરવામાં આવી હતી.

વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે ટીમ વડોદરા દ્વારા આજરોજ વડોદરા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ટીમ વડોદરાના અગ્રણી સેજલ વ્યાસ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપના પુરાવા સાથે રાખી વડોદરા જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવ્યું હતું અને વિચલન તપાસની માંગ કરી હતી. વિશ્વામિત્રી નદીમાં થયેલા ગેરરીતિઓ જેમાં સમાપ્ત ડ્રેજીંગ, ફરજી બિલિંગ, અનેક ફક્ત કાગળ પર પૂરા થયેલા કામોની બાબત તથા સામાન્ય નાગરિકના પૈસાનો વેડફાટ જેવા તમામ મુદ્દાઓ પોતાના આવેદન પત્રમાં રજૂ કરવામાં આવ્યા હતા.




Reporter: admin