વડોદરા : શહેરના સીટી વિસ્તારમાં આવેલા હુજરતપાગા મેન રોડ પરના શ્રીબાળ હનુમાન શ્રીકાળભૈરવ મંદિર ના જીર્ણોદ્ધાર પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન મંગળવારે કરવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પ્રસંગે યોજાયેલી પૂજામાં લાભ લીધો હતો આ તબક્કે આવનારા ભક્તજનો માટે મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ મંદિર ખૂબ જ પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું મંદિર છે એવું માનવામાં આવે છે કે ગુજરાતનું આ એકમાત્ર મંદિર છે જ્યાં ચિરંજીવી હનુમાનજી મહારાજ અને કાળભૈરવ મહારાજ એક સાથે બિરાજમાન છે.




Reporter: admin