અયોધ્યા : રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા આજે અયોધ્યાના રામ મંદિરમાં થવા જઈ રહી છે. આ પ્રાણ પ્રતિષ્ઠા સવારે 11 થી બપોરે 12 વાગ્યા દરમિયાન અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે.
આજે રામ મંદિરમાં રામ દરબાર સહિત 7 મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. આજના કાર્યક્રમ માટે આખું અયોધ્યા શહેર સજાવવામાં આવ્યું છે. અયોધ્યાના રસ્તાઓ, શેરીઓ અને મંદિરોને ખાસ શણગારવામાં આવ્યા છે. ભગવાન રાજા રામના રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે આજે મોટી સંખ્યામાં ભક્તો પણ અયોધ્યા પહોંચ્યા છે. ધાર્મિક નેતાઓની સાથે, યુપીના CM યોગી પણ ગંગા દશેરા નિમિત્તે યોજાઈ રહેલા આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે.
ખાસ વાત એ છે કે આજે સીએમ યોગીનો જન્મદિવસ પણ છે અને આ દિવસે અયોધ્યાના રામ મંદિરમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચ્યા છે. પહેલા યોગી હનુમાન ગઢી ગયા હતા અને વિધિ-વિધાનથી મહાવીર હનુમાનની પૂજા-અર્ચના કરી હતી.ત્યારબાદ તેઓ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે.
Reporter: admin