વડોદરા એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધા ઉપલબ્ધ હેતુસર નવી એ.સી. વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે.
આ અંતર્ગત વડોદરાથી અંબાજી વચ્ચે નવી એ.સી. વોલ્વો બસ સેવા તા. ૧૯/૧૨/૨૦૨૫થી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે.આ નવી બસ સેવા વડોદરા થી સવારે ૦૫:૪૫કલાકે ઉપડશે અને અંબાજી ખાતે સવારે ૧૧:૪૫ કલાકે પહોંચશે. તેવી જ રીતે, પરત ફરતી બસ અંબાજી થી બપોરે ૦૧:૧૫ કલાકે ઉપડશે અને વડોદરા ખાતે સાંજે ૦૭:૧૫ કલાકે પહોંચશે.
આ એ.સી. વોલ્વો બસ સેવા શરૂ થવાથી યાત્રાળુઓ તથા સામાન્ય મુસાફરોને વધુ આરામદાયક, સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા મળશે. ખાસ કરીને અંબાજી જતાં યાત્રિકો માટે આ સેવા ખૂબ લાભદાયી સાબિત થશે.
Reporter: admin







