News Portal...

Breaking News :

ગુજરાતમાં ઐતિહાસિક 1800 કિમીની “સરદાર સન્માન યાત્રા”નું આયોજન

2025-09-09 10:32:49
ગુજરાતમાં ઐતિહાસિક 1800 કિમીની “સરદાર સન્માન યાત્રા”નું આયોજન


11 સપ્ટેમ્બર, 2025ને ગુરુવારથી બારડોલીથી શરુ થતી યાત્રા સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરશે.
બારડોલી : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે અને સરદાર પટેલના વિચારોને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતમાં ઐતિહાસિક 1800 કિમીની “સરદાર સન્માન યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. 


આગામી તારીખ 11 સપ્ટેમ્બર, 2025ને ગુરુવારથી બારડોલીથી શરુ થતી યાત્રા સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરશે. આ યાત્રા વિવિધ શહેરોમાં પહોંચશે જ્યાં પાટીદારો દ્વારા યાત્રાનો સ્વાગત કરવામાં આવશે.સરદાર સન્માન‎ યાત્રાનું ભવ્ય‎ આયોજન અખંડ‎ ભારતના‎ શિલ્પી, લોખંડી પુરુષ અને‎ રાષ્ટ્રીય‎ એકતાના‎ અવિસ્મરણીય યોદ્ધા‎ સરદાર‎ વલ્લભભાઈ પટેલ‎ની 150મી‎ જન્મજયંતિ‎ પૂર્વે ‎“સરદાર સન્માન‎ યાત્રા”નું ભવ્ય‎ આયોજન કરવામાં‎ આવી‎ રહ્યું‎ છે.‎ 


આ યાત્રા‎ 11 સપ્ટેમ્બરથી‎ 22 સપ્ટેમ્બર,‎ બારડોલી‎થી‎ પવિત્ર સોમનાથ ધામ‎ સુધી, 12‎ દિવસની રહેશે. જે‎ કુલ‎ 1800 કિ.મી.નું અંતર કાપી‎ 355 ગામોમાં‎ જવાની છે.રાષ્ટ્રની‎ એકતા‎ માટે‎ યાત્રા સરદાર સાહેબના સિદ્ધાંતો,‎ દેશભક્તિ અને રાષ્ટ્રની‎ એકતા‎ માટેના યોગદાનથી‎ પ્રેરણા‎ લઇ, એકતાની‎ તરફની આ યાત્રા છે. જેમાં દરેક ધર્મ, જ્ઞાતી, વર્ગ, ભાષા અને વિચારધારાને એક સુત્રમાં બાંધવાનુ અમુલ્ય કાર્ય થવાનું છે.

Reporter: admin

Related Post