વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવે અઢી મહિના બાદ વાઈસ ચાન્સેલરનો સત્તાવાર બંગલો ખાલી કર્યો છે. જોકે બંગલામાં રહેવા માટે તેમને કુલ મળીને 64200 રુપિયા ભાડું ચૂકવવું પડશે.
સૂત્રોનું કહેવું છે કે, હજી સુધી તો ડો.શ્રીવાસ્તવે કોઈ ભાડુ આપ્યું નથી.ડો.શ્રીવાસ્તવે તા.8 જાન્યુઆરીએ રાજીનામુ આપ્યા બાદ તેમને બંગલામાં રહેવા યુનિવર્સિટીના નિયમ પ્રમાણે એક મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. આ એક મહિના માટેનું ભાડું 1200 રુપિયા ગણવામાં આવ્યું છે.
એ પછીના સમય માટે યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના પરિપત્રને ધ્યાનમાં રાખીને બજાર ભાવ પ્રમાણે ભાડાની ગણતરી કરવામાં આવી છે. જે અનુસાર ફેબ્રુઆરી મહિના માટે તેમણે 42000 રુપિયા અને માર્ચ મહિનાના પંદર દિવસ માટે 21000 રુપિયા ભાડુ ચુકવવાનું થાય છે. આમ કુલ મળીને તેમને 64200 રુપિયા ભાડુ આપવું પડશે.સૂત્રોનું કહેવું છે કે, ડો.શ્રીવાસ્તવને હજી 85000 રુપિયા જેટલો પગાર લેવાનો બાકી નીકળે છે. બંગલાનું ભાડું તેમાંથી પણ વસુલવાની કાર્યવાહી સત્તાધીશો ધારે તો કરી શકાય તેમ છે.
Reporter: admin