News Portal...

Breaking News :

આત્મા પ્રોજેક્ટ, વડોદરા દ્વારા પ્રાકૃતિક ખેતી તાલીમ થકી ૩૬૪ લાભાર્થીઓને સફળતાપૂર્વક તાલીમબદ્ધ કરાયા

2025-07-19 16:45:08
આત્મા પ્રોજેક્ટ, વડોદરા દ્વારા પ્રાકૃતિક ખેતી તાલીમ થકી ૩૬૪ લાભાર્થીઓને સફળતાપૂર્વક તાલીમબદ્ધ કરાયા


આત્મા પ્રોજેક્ટ, વડોદરા અંતર્ગત ક્લસ્ટર આધારિત પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનું તા. ૧૭.૦૭.૨૦૨૫ ના રોજ વડોદરા જિલ્લામાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. 


આ કાર્યક્રમમાં કૃષિ સખી અને સી.આર.પી. (કોમ્યુનિટી રિસોર્સ પર્સન) દ્વારા કુલ ૧૪ તાલીમ સત્રો થકી ૩૬૪ લાભાર્થીઓને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે સઘન તાલીમ આપવામાં આવી.આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવા તેમજ ખેડૂતોની આવકમાં વધારો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.


કૃષિ સખી અને સી.આર.પી. દ્વારા આપવામાં આવેલી તાલીમમાં ખેડૂતોને જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આચ્છાદન, આંતરપાક, નિંદામણ વ્યવસ્થાપન, જૈવિક કીટ નિયંત્રણ અને રોગ નિયંત્રણ જેવી પ્રાકૃતિક ખેતીની મહત્વપૂર્ણ પદ્ધતિઓ વિશે વ્યવહારુ જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું. આ તાલીમ સત્રોમાં ખેડૂતોને પ્રશ્નો પૂછવાની અને પોતાના અનુભવો શેર કરવાની તક પણ મળી, જેનાથી તાલીમ વધુ અસરકારક બની.આત્મા પ્રોજેક્ટ, વડોદરા દ્વારા આયોજિત આ તાલીમ કાર્યક્રમ વડોદરા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના પ્રસાર અને અપનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પહેલથી ખેડૂતો આધુનિક અને ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવીને આત્મનિર્ભર બનશે તેવી અપેક્ષા છે.

Reporter: admin

Related Post