News Portal...

Breaking News :

વિકસિત ભારત 2047 માટે ઉદ્યોગ અને માનવ સંસાધનનો સમન્વય અનિવાર્ય: ડૉ. શ્યામ પિંગલે

2026-06-07 11:36:12
વિકસિત ભારત 2047 માટે ઉદ્યોગ અને માનવ સંસાધનનો સમન્વય અનિવાર્ય: ડૉ. શ્યામ પિંગલે


વિકસિત ભારત 2047 માટે ઉદ્યોગ અને માનવ સંસાધનનો સમન્વય અનિવાર્ય: ડૉ. શ્યામ પિંગલે

વડોદરા ખાતે સોસાયટી ફોર હેલ્થ દ્વારા “વિકસિત ભારત 2047”ના સ્વપ્નને સાકાર કરવા ઉદ્યોગ અને માનવ સંસાધન ક્ષેત્રના સમન્વય પર આધારિત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ. શ્યામ પિંગલેએ મુખ્ય સંબોધન આપતાં જણાવ્યું હતું કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ઉદ્યોગ, માનવ સંસાધન, સ્વાસ્થ્ય, સુરક્ષા અને પર્યાવરણ જેવા ક્ષેત્રોએ એકસાથે કાર્ય કરવું અનિવાર્ય છે.તેમણે કહ્યું કે આજનો સમય સ્પર્ધાનો નહીં પરંતુ સહયોગનો છે. જો આ ચારેય મુખ્ય ક્ષેત્રો એકબીજાના સહયોગથી આગળ વધશે તો દેશમાં વધુ અસરકારક અને સક્ષમ કાર્યપદ્ધતિ વિકસિત થઈ શકશે. આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર વરિષ્ઠોને નહીં પરંતુ યુવા પેઢીને પણ જોડવાનો છે, જેથી તેમની ક્ષમતાઓને યોગ્ય દિશા મળી શકે.

ડૉ. પિંગલેએ ભારતની યુવા વસ્તીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આગામી 20 વર્ષ દેશના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સમયગાળામાં જો યુવાનોના કૌશલ્ય અને શક્તિનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે તો ભારત વૈશ્વિક સ્તરે વધુ મજબૂત સ્થિતિમાં પહોંચી શકશે.અંતમાં તેમણે યુવાનોને દેશના બદલાતા પરિસ્થિતિઓને સમજીને સકારાત્મક યોગદાન આપવા અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કર્યા હતા.

Reporter: admin

Related Post