News Portal...

Breaking News :

બિગ બી પર યુઝર્સ રોષે ભરાયા: જયાજીએ ફોન લઈ લીધો કે શું?

2025-04-23 16:04:00
બિગ બી પર યુઝર્સ રોષે ભરાયા: જયાજીએ ફોન લઈ લીધો કે શું?


આંતકવાદી હુમલા અંગે બિગ બીએ પોતાના X એકાઉન્ટ પરથી ટ્વીટના નામે માત્ર ટી5356 લખ્યું અને છોડી દીધું!!




મુંબઈ : ગઈકાલે થયેલાં આંતકવાદી હુમલા અંગે બિગ બીએ એક પણ પોસ્ટ નહોતી કરી. એથી વિપરીત તેમણે રાકે 1.20 કલાકે બિગ બીએ પોતાના એક્સ એકાઉન્ટ પરથી ટ્વીટના નામે માત્ર ટી5356 લખ્યું અને છોડી દીધું હતું. યુઝર્સ બિગ બીની આ હરકત જોઈને યુઝર્સ રોષે ભરાયા હતા અને તેમણે તેમની એ ટ્વીટ પર કમેન્ટ કરવાનું અને બિગ બીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.એક યુઝરે બિગ બીની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે જયાજીએ ફોન લઈ લીધો કે શું? આગળ ના લખી શકાયું પહેલગામ વિશે? બીજા એક યુઝરે લખ્યું હતું કે કાશ્મીરમાં થયેલાં આંતકવાદી હુમલા અંગે એક પોસ્ટ નહીં? 


ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે આદરણીય સર, ક્યારેક ક્યારેક કંઈ બોલી દેવું જોઈએ, આવા નરસંહાર સમયે મૌન સેવવું યોગ્ય નથી. ચોથા યુઝરે લખ્યું છે કે આવા સમયે તમારે ભારતીયો સાથે ઉભા રહેવું જોઈતું હતું.જોકે, આ મામલે બિગ બી દ્વારા કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. પરંતુ સોશિયલ મીડિયા પર એક બીજો વર્ગ છે કે જે બિગ બીની આ ટ્વીટને ન કહીને ઘણું બધું કહી દેવાના નજરિયાથી જોઈ રહ્યા છે. બિગ બીની આ પોસ્ટ પર કેટલાક લોકો એવી કમેન્ટ કરી રહ્યા છે કે ખામોશી પણ ઘણું બધું કહે છે. લોકો તેમના આ ખાલી નંબરવાળા ટ્વીટને પહેલગામ સાથે જોડીને જોઈ રહ્યા છે.

Reporter: admin

Related Post