તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે સોમવારે વિધાનસભામાં ખેડૂતો માટેની પાક લોન માફી યોજનાના વિસ્તરણની જાહેરાત કરી હતી. નવી જોગવાઈ મુજબ સહકારી બેંકોમાંથી લેવામાં આવેલી ₹75,000 સુધીની કૃષિ લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. જ્યારે ₹75,000થી ₹1 લાખ સુધીની લોન ધરાવતા ખેડૂતોને વધુમાં વધુ ₹75,000 સુધીની લોન માફીનો લાભ મળશે.
સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી આશરે 1.38 લાખ વધારાના ખેડૂતોને લાભ મળશે. આ યોજનાના વિસ્તરણથી સરકાર પર અંદાજે ₹953.06 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે.
સુધારેલી યોજના હેઠળ કુલ 13.34 લાખ ખેડૂતોને ₹6,220 કરોડની લોન રાહત આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને મોટી આર્થિક રાહત મળવાની અપેક્ષા છે.
Reporter: admin







