શ્રીરામ કૃષ્ણનની જાહેરાત: ટ્રમ્પના AI નીતિ સલાહકાર પદેથી આપશે રાજીનામું
તેમણે SRM યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ 2007માં અમેરિકા જવાનો નિર્ણય લીધો હતો. તેઓ માઈક્રોસોફ્ટ, યાહૂ, ફેસબુક, ટ્વિટર (X) અને સ્નેપ જેવી મોટી ટેક કંપનીઓ સાથે કામ કરી ચૂક્યા છે. 2016માં તેઓ અમેરિકાના નાગરિક બન્યા હતા.તેમના પત્ની આરતી રામમૂર્તિ પણ ભારતીય મૂળના છે. કૃષ્ણને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં AI નીતિ બનાવવાનો અનુભવ તેમના માટે ગૌરવપૂર્ણ રહ્યો. તેમણે કહ્યું કે AI ટેકનોલોજી સાથે જોડાયેલા ઊર્જા, ડેટા સેન્ટર અને સુરક્ષા જેવા પડકારોનો સામનો કરવો જરૂરી છે.કૃષ્ણન અમેરિકાની AI નીતિ માટે રાષ્ટ્રીય માળખું તૈયાર કરવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા. હવે તેમના રાજીનામા બાદ AI નીતિ ટીમમાં ફેરફારની શક્યતા પણ ચર્ચામાં આવી છે.
Reporter: admin







