News Portal...

Breaking News :

પાવાગઢ જતા પગપાળા યાત્રાળુઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવ્યું

2025-04-19 18:18:46
પાવાગઢ જતા પગપાળા યાત્રાળુઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવ્યું


છેલ્લા 19 વર્ષથી ચૈત્ર મહિનામાં સાવલી હાલોલ રોડ ઉપર આઈ.ટી.આઈ પાસે આવેલા વિસામાનું આયોજન કરવામાં આવે છે. 


દરેક ભાવિક ભક્તોના સાથ સહકારથી આ વિસામા નું સંચાલન કરવામાં આવે છે. આ વિસામા માં નિઃશુલ્ક દરેક સેવાઓ આપવામાં આવે છે. જેમકે યાત્રાળુઓ માટે રહેવાનું અલ્પાહાર. ભોજન.તથા છાશ . અને પાણી તથા દવાઓ અને માલિશ પણ યાત્રાળુઓ ને કરી આપવામાં આવે છે. અહીંયા  દૂર દૂરથી પગપાળા યાત્રાળુઓ આવે છે. ૧૯ વર્ષ થી સતત આ વિસામાનું આયોજન કરવામાં આવે છે. 


અહીંયા છેલ્લા ઘણા સમયથી સાવલી નગરના તેમજ મુવાલ ગામના  વિસ્તારના યુવાનો સેવાઓ આપે છે. અને આ વિસામા નું સંચાલન રમેશભાઈ પંચાલ કરી રહ્યા છે. રમેશભાઈ પંચાલ છેલ્લા ઘણા સમયથી પોતાના પરિવાર સાથે દર વર્ષે ચૈત્ર મહિનામાં અહીંયા સેવા આપી રહ્યા છે. આ વિસામો ચૈત્ર મહિનામાં પાવાગઢ જતા શ્રદ્ધાળુ ઓ માટે આયોજન કરવામાં આવે છે.

Reporter: admin

Related Post