News Portal...

Breaking News :

રામનવમી પર અયોધ્યા ધામમાં ઉત્સવનો નજારો રામલલાને 56 ભોગ અપાશે

2025-04-06 09:41:45
રામનવમી પર અયોધ્યા ધામમાં ઉત્સવનો નજારો રામલલાને 56 ભોગ અપાશે


રામભક્તો દૂરદર્શન તેમજ મોબાઈલ પર સૂર્યાભિષેકનું લાઇવ પ્રસારણ જોઈશકશે.
અયોધ્યા : રામનવમી પર અયોધ્યા ધામમાં ઉત્સવનો નજારો છે. રામલલાની જન્મભૂમિ પર રામનવમીની વિશેષ તૈયારીઓ કરાઈ રહી છે. રવિવારે બપોરે 12 વાગ્યે રામલલાનો જન્મ થશે અને આ દરમિયાન ચાર મિનિટ સુધી રામલલાના મસ્તક પર સૂર્યના કિરણોથી અભિષેક કરાશે. 



ભક્તોમાં પંજીરીનો ખાસ પ્રસાદ વહેંચવામાં આવશે. રામલલા ભક્તોની હાજરીમાં મોડી રાત સુધી દર્શન રહેશે. રામ નવમી પર સવારે 4:30 વાગ્યે નિર્ધારિત સમયે મંગળા આરતી કરવામાં આવશે. દર્શન સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. રામનવમી માટે VIP પાસ બનાવવામાં આવ્યા નથી. સવારે 9:30 વાગ્યે રામલલાનો સૌપ્રથમ અભિષેક કરવામાં આવશે. મધ, દૂધ, ઘી, સરયુ જળ અને સુગંધથી અભિષેક થશે. આ સમયગાળા દરમિયાન પણ દર્શન અને પૂજા ચાલુ રહેશે. 


એક કલાકના આ વિશેષ અભિષેક પછી, પાંચ મિનિટ માટે પડદો પડી જશે. આ પછી, ભગવાનને વિશેષ શણગાર કરાશે. રામલલાને એક કલાક સુધી શણગારવામાં આવશે. પોણા 12 વાગ્યે પટ બંધ થઈ જશે. રામલલાને 56 પ્રસાદ ભોગ ચઢાવવામાં આવશે.રામ નવમીના દિવસે બપોરે 12 વાગ્યાથી 12:04 વાગ્યા સુધી સૂર્ય કિરણો કપાળની બરાબર મધ્યમાં રહેશે. રામલલાની મૂર્તિના કપાળ પર સૂર્ય તિલક લગભગ 4 મિનિટ સુધી રહેશે. રામભક્તો દૂરદર્શન તેમજ પોતાના મોબાઈલ પર જ સૂર્યાભિષેકનું લાઇવ પ્રસારણ જોઈ શકશે. સમગ્ર રામલલા મંદિર સંકુલને ચમકતી ગુલાબી LED લાઇટથી ઝળહળતું કરવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post