News Portal...

Breaking News :

ઓઇલ કંપનીઓની ખોટ ભરપાઇ માટે ઈંધણ મોંઘું થવાની શક્યતા, ₹5 સુધીનો વધારો થઈ શકે

2026-06-06 14:22:30
ઓઇલ કંપનીઓની ખોટ ભરપાઇ માટે ઈંધણ મોંઘું થવાની શક્યતા, ₹5 સુધીનો વધારો થઈ શકે


ઓઇલ કંપનીઓની ખોટ ભરપાઇ માટે ઈંધણ મોંઘું થવાની શક્યતા, ₹5 સુધીનો વધારો થઈ શકે

પેટ્રોલ-ડીઝલમાં વધારા બાદ મધ્યવર્ગ પર ભાર: ભાવમાં ₹5 સુધીનો વધુ ઉછાળો શક્યનવી દિલ્હી
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા બાદ હવે ફરીથી ઈંધણ મોંઘું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. માહિતી અનુસાર, ઓઇલ માર્કેટિંગ કંપનીઓને વધતા નુકસાનને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટર વધુ ₹5 સુધીનો વધારો થઈ શકે છે.મળતી માહિતી મુજબ, મે મહિનાના બીજા ભાગમાં જ ઇંધણના ભાવમાં આશરે 8 ટકાનો વધારો નોંધાયો હોવા છતાં કંપનીઓ હજુ પણ ભારે અન્ડર-રિકવરીનો સામનો કરી રહી છે. હાલ સ્થિતિ એવી છે કે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર અનુક્રમે અંદાજે ₹5.5 અને ₹4.5નું નુકસાન થઈ રહ્યું છે.

રિપોર્ટ મુજબ સરકારી ઓઇલ કંપનીઓને દરરોજ લગભગ ₹610 કરોડનું નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ભાવ સુધારાની શક્યતા વધી છે. જો કાચા તેલની કિંમતો ઊંચી રહે તો કુલ વધારો ₹10 પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે.વિશ્લેષકોનું માનવું છે કે ઈંધણના ભાવમાં વધારો થવાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ વધશે, જેના કારણે ખાદ્યપદાર્થો સહિત જીવનજરૂરી વસ્તુઓ મોંઘી થઈ શકે છે અને મોંઘવારી પર સીધી અસર પડશે.એલપીજી અને એવિએશન ફ્યુઅલમાં પણ નોંધપાત્ર નુકસાન ચાલુ રહેતા સમગ્ર ઊર્જા ક્ષેત્ર પર દબાણ વધ્યું છે.

Reporter: admin

Related Post