News Portal...

Breaking News :

એસએસજી હોસ્પિટલમાં દર્દી દ્વારા કરાયું અંગદાન

2025-06-07 13:19:44
એસએસજી હોસ્પિટલમાં દર્દી દ્વારા કરાયું અંગદાન


સુરેશભાઈ જીવરાજભાઈ ચૌહાણ નામના દર્દીની દાખલાતી 3 જૂન, 2025ના રોજ એસ.એસ.જી. હોસ્પિટલના મેડિસિન બી યુનિટમાં કરવામાં આવી હતી. 


તેઓને હાઇપરટેન્શન (ઉંચા બ્લડપ્રેશર)ના ઈતિહાસ સાથે ઇન્ટ્રા-પેરેન્ખાઈમલ હેમોરેજ (IPH)ની તાત્કાલિક ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રારંભે સર્જરી કરવા આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ દર્દીની સામાન્ય સ્થિતિમાં અચાનક ઘટાડો થતા સર્જરી શક્ય રહી ન હતી.પછી પરિવારજનો સાથે સંવાદ કરી તેમને અંગદાન અંગે સમજાવવામાં આવ્યું હતું. ખુબ જ હૃદયસ્પર્શી નિર્ણય લઈ પરિવારજનો અંગદાન માટે સન્મતિ આપી. 5 જૂન, 2025ના રોજ તમામ કાનૂની અને તબીબી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 


અંગદાન ટીમના સહયોગથી તમામ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. દર્દી પાસેથી લિવર અને બંને નેત્રો સફળતાપૂર્વક સ્વીકારવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં ડૉ. અજય, ડૉ. દીપ, ડૉ. દિવાકર, મેડિસિન બી યુનિટની ટીમ, તમામ એનેસ્થીસિયા તજજ્ઞો, તથા ICU સ્ટાફ ઉદયભાઈ, હેતલબેન અને રોશ્નીબેનનો અભૂતપૂર્વ સહકાર રહ્યો. સમગ્ર કામગીરી ડૉ. નરેન્દ્ર ઉમાના  માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી.અંગદાનના આ પવિત્ર કાર્ય માટે ડૉ. શ્રેયા, ડૉ. નરેન્દ્ર ઉમા, ડૉ. મમતા અને ડૉ. પાર્થ જેવા તબીબી અધિકારીઓનો મહત્વનો ફાળો રહ્યો.વિશેષ આભાર દર્દીના પત્ની જ્યોતિબેન તથા પુત્રો અમિતભાઈ અને લલિતભાઈનો, જેમણે સંપૂર્ણ સમજદારી અને ધીરજ રાખી આ માનવતાવાદી પગલાંને શક્ય બનાવ્યું.એસ.એસ.જી. હોસ્પિટલની આઈ.સી.યૂ. અને ઓર્ગન ડોનેશન ટીમે જે રીતે સાથે મળીને કાર્ય કરી નમૂનાદાર માનવસેવાનો દાખલો આપી સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

Reporter: admin

Related Post