નાલાસોપારા: મહારાષ્ટ્રના નાલાસોપારા ઈસ્ટમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન કેક ખાધા બાદ 7 બાળકો સહિત 11 લોકોની તબિયત લથડી હતી. અસરગ્રસ્તોમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. બાળકોએ કેકની અંદર મરેલી ગરોળી મળી હોવાનો દાવો કર્યો છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના નાલાસોપારા ઈસ્ટના ટાકીપાડા સ્થિત નીલકંઠેશ્વર બિલ્ડિંગમાં બની હતી. શનિવારે સાંજે લગભગ 6 વાગ્યે 25 વર્ષીય મહિલાનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. પડોશના બાળકો સ્થાનિક દુકાનમાંથી કેક ખરીદીને લાવ્યા હતા અને ઉજવણી દરમિયાન સૌએ કેક ખાધો હતો
.
.
કેક ખાધા બાદ થોડા સમય પછી કેટલાક લોકોને છાતીમાં ભારે બળતરા અને ઊલટીની ફરિયાદ થવા લાગી હતી. ત્યારબાદ તમામને સારવાર માટે વિજયલક્ષ્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં દાખલ 11 લોકોમાંથી ત્રણ બાળકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. હોસ્પિટલના ડૉક્ટર વિદ્યા સાવંતે આ અંગે માહિતી આપી હતી
.
.
જોકે, કેકમાં ખરેખર મરેલી ગરોળી હતી કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થઈ શકશે.
Ai generated image
Reporter: admin







