News Portal...

Breaking News :

માંજલપુરના હરાજીના પ્લોટમાં ધારાસભ્યની કંપની સામે મ્યુનિસિપલ કમિશનર નમી ગયા, દરખાસ્ત કરાતા વિ

2025-02-06 10:41:05
માંજલપુરના હરાજીના પ્લોટમાં ધારાસભ્યની કંપની સામે મ્યુનિસિપલ કમિશનર નમી ગયા, દરખાસ્ત કરાતા વિ


વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2020-21 માં યોજાયેલી જાહેર હરાજી માં જમીન વેચાણમાં પૂરતી કાર્યવાહી નહીં થતાં જમીન ખરીદનાર પાસેથી વ્યાજની વસુલાત કરી જમીન આપવા અંગેની દરખાસ્ત ફરી સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ સર્જાયો છે. 


આ પ્લોટની ખરીદીમાં મોટા મોટા માથા સંડોવાયેલા હોવાથી પાલિકામાં વ્યાજની વસુલાત કરીને જમીન આપવાની દરખાસ્ત કરવામાં આવી છે અને તેથી વિવાદ સર્જાયો છે. 2020માં જ્યારે આ પ્લોટની હરાજી થઇ ત્યારે આ પ્લોટની સૌથી વધુ બોલી રેડ ઓર્ગેનાઇઝર્સ દ્વારા બોલવામાં આવી હતી જે પ્લોટની કિમત તે વખતે 4 કરોડ 58 લાખ 20 હજાર રુપિયા હતી. રેડ ઓર્ગેનાઇઝર્સના ભાગીદારોમાં ધર્મેન્દ્ર સિંહ રણજીતસિંહ વાઘેલા, કિંજલ હરીશ ભાઈ મહેતા ,જયેશ કનુભાઈ શાહ તથા ભાવેશ ચીમનલાલ દોશી  અને સિદ્ધરાજ સિંહ વાઘેલા ધર્મેન્દ્રસિંહ સમાવેશ થાય છે. રેડ ઓર્ગેનાઇઝર્સની રજીસ્ટર્ડ ઓફિસ 508 આયવેરી ટેરેસ આર સી દત્ત રોડ અલકાપુરી ખાતે આવેલી છે.હવે વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં મહાનગરપાલિકા હસ્તકના પ્લોટોની યોજાયેલી જાહેર હરાજીમાં ટીપી સ્કીમ ૧૯ (માંજલપુર) એફ.પી ૩૨૦ (પાર્ટ)વાળો પ્લોટ વેચાણ આપવા અંગેની દરખાસ્ત સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. 


ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા હસ્તકના પ્લોટોની જાહેર હરાજીમાં સને ૨૦૨૦-૨૧માં ટીપી સ્કીમ નં. ૧૯ (માંજલપુર) ફાઇનલ પ્લોટ નં. ૩૨૦ (પાર્ટ)વાળો પ્લોટ વેચાણ આપવા અંગેના કિસ્સામાં દરખાસ્ત માં જણાવેલી વિગતોની જોગવાઈ, પેમેન્ટ ટર્મ્સની શરતો તથા જાહેર હરાજીની શરત નં. ૧૨ અને ૧૩માં જણાવેલ વેચાણ કિંમત ઉપર નિયમ અનુસાર વ્યાજ વસૂલ લઈને આ પ્લોટની કુલ વેચાણ કિંમત વસુલ આવ્યેથી તેનો વેચાણ દસ્તાવેજ કરી આપવા અંગે નિર્ણય થવા તથા આ કામ અંગે આગળની તમામ કાર્યવાહી કરવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.આખો વિવાદ શું છે 2020-21માં પાલિકાના હસ્તકના પ્લોટોની યોજાયેલી જાહેર હરાજીમાં રેડ ઓર્ગેનાઇઝર્સ પ્રા.લિ દ્વારા આ પ્લોચની સૌથી ઉંચી બોલી લગાવામાં આવી હતી અને ત્યારબાદ પાલિકાએ રેડ ઓર્ગોનાઇઝર્સને ઇન્ટીમેશન લેટર પણ આપ્યો હતો. જે મુજબ પ્લોટની કુલ વેચાણ કિંમત વિના વ્યાજે ભરપાઇ કરવાની અંતિમ તારીખ પણ સંસ્થાને અપાઇ હી. રેડ ઓર્ગેનાઇજર્સે ઇન્ટીમેશન લેટર તથા જાહેર હરાજીની પેમેન્ટ ટર્મ્સ મુજબ અને જાહેર હરાજીની શરતો વગેરે તેમણે વાંચીને જાહેર હરાજીમાં ભાગ લીધો હોવાનું સોગંદનામિં કરાયું હતું, અને આ સંસ્થા દ્વારા ભરપાઇ કરાયેલ અર્નેસ્ટ મનીની રકમ 10 લાખ રુપિયા જાહેર હરાજીની શરત નંબર 12મુજબ જપ્ત કરવાને પાત્ર થાય છે અને શત 13 મુજબ વેચાણની કુલ કિંમત વિના વ્યાજે ભરપાઇ કરવાની 180 દિવસની મુદત વીત્યા બાદ આ રકમ વ્યાજસહિત ભરપાઇ કરવાનો વધુ 60 દિવસનો સમયગાળો પણ વ્યતિત થઇ હયો હતો. જેથી કમિશનરે દરખાસ્ત કરી હતી કે આ સમયગાળાનો બાધ દુર કરી વેચાણ કિંમત ઉપર નિયમો મુજબ વ્યાજ વસુલ લઇને પ્લોટની કુલ વેચાણ કિંમત વસલુ કરેથી તેનો વેચાણ દસ્તાવેજ કરી આપવો જોઇએ.

Reporter: admin

Related Post