News Portal...

Breaking News :

લૂંટ સકે તો લૂંટ..માનીતા કોન્ટ્રાક્ટરોને 60 થી વધુ કરોડના વિવિધ કામો પધરાવી દેવાયા

2025-06-21 10:33:33
લૂંટ સકે તો લૂંટ..માનીતા કોન્ટ્રાક્ટરોને 60 થી વધુ કરોડના વિવિધ કામો પધરાવી દેવાયા


દરખાસ્તો એક ઝાટકે મંજૂરી આપી દેવાઇ


અધિકારીઓનું કામ કરતા કેટલાક કોન્ટ્રાક્ટર થઇ ગયા, કોન્ટ્રાકટરનું કામ કરતા કરતા કેટલાક કોર્પોરેટર...
શુક્રવારે યોજાયેલી કોર્પોરેશનની સ્થાયી સમિતીની બેઠકમાં અંદાજે 60 કરોડથી વધુના 21 દરખાસ્તો રજૂ કરાઇ હતી અને આ તમામ દરખાસ્તોને એક ઝાટકે મંજૂરી આપી દેવાઇ હતી. કામની હલકી ગુણવત્તા કરીને ભ્રષ્ટાચાર આચરી રહેલા કોન્ટ્રાક્ટરો બેફામ બની રહ્યા છે. શહેર પ્રમુખ તો ધુતરાષ્ટ્ર બનીને પ્રજાના પરસેવાના પૈસાની બેફામપણે થઇ રહેલી લૂંટ જોઇ રહ્યા છે. સ્થાયીમાં જે દરખાસ્તો કરાઇ છે તેમાં લહેરીપુરા ગેટથી કાલપુરા સેન્ટ્રલ સ્ટોર વાળા રસ્તે થઇ છત્રપતિ શિવાજી અતિતિગૃહ સુધી ડ્રેનેજ લાઇન નાખવા માટે ક્રિટા એન્જિનીયરીંગ પ્રા લીના  11,54,65,083 રુપિયાનું ભાવપત્ર મંજૂર કરવાની દરખાસ્ત મંજૂર કરાઇ છે. તો પૂર્વ ઝોનમાં નવી ડ્રેનેજ લાઇન નાખવા માટે મારુતી એન્ટરપ્રાઇઝને મંજૂર થયેલા 5 કરોડમાં 2 કરોડનો વધારો કરવાની દરખાસ્ત મંજૂર કરાઇ છે તો પશ્ચિમ ઝોનમાં વરસાદી ગટરના સમારકામમાં વિરલ ટ્રેડર્સને 75 લાખના મંજૂર થયેલા ઇજારામાં 50 લાખનો વધારો કરવાની પણ દરખાસ્ત તો ઉત્તર ઝોનમાં પણ ગટર લાઇ સમારકામમાં 90 લાખમાં જયસ્વાલ ડેવલપર્સના ભાવપત્રને દરખાસ્ત મંજૂર કરાઇ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં 2 મેના રોજ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સુરક્ષા અને સલામતીના કારણો સર સ્ટેજ અને તેની આસપાસના ભાગમાં તુરત ફાર કોટીંગ કરાવવાની છે જેથી એક્યુમેન સેફ્ટી કન્સલ્ટન્ટને 1,47,500 રુપિયા ચુકવવાની દરખાસ્ત કરાઇ છે તો પાયર બ્રિગેડમાં 3 માસ માટે તરવૈયાની ભરતી કરવા 95,58,800નો ખર્ચ કરવા 1811 લાખ પેટે પાડવાની પણ ભલામણ કરાઇ છે. આ સાથે કપુરાઇ સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા મેઇન પપીંગ સ્ટેશનના ત્રમ વર્ષ માટેના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે વિવાદાસ્પદ રાજકમલ બિલ્ર્સ અમદાવાદને 3,02,14,440 રુપિયાના 9.50 ટકા વધુના ભાવપત્રને મંજુર કરવા તથા જીએસટીનું અલગથી ચુકવણું અને વધઘટનું ચુકવણું કરવાની પણ દરખાસ્ત મંજૂર કરાઇ છે. તો પશ્ચિમ ઝોન વિસ્તારમાં ડીપ રીચાર્જ બાય રેઇન વોટરની કામગિરીમાં એચ.પી.ગોપાણીના 4.41 ટકા વધુ મુજબના 10,44,10,000 પ્રત્યેઝ ઝોનના 25 કરોડ માં 2.50 કરોડનો વધારો કરવાની પણ દરખાસ્ત કરાઇ છે. આ જ રીતે ઉત્તર ઝોનમાં પણ એચ.પી ગોપાણીને જ કોન્ટ્રાક્ટ આપીને નાણાકીય મર્યાદામાં 1.30 કરોડનો વધારો કરવાની દરખાસ્ત કરા છે તો છાણી તળાવથી ન્યાયા થઇ કેનાલ સુધીના 24 મીટરના રસ્તે કાચો કાંસ પાકો કરવા કમલા ઇલેકટચ્રીકલ્સ એન્ડ એન્જિનીયરીંગના  16,98,54,370 રુપિયાના ભાવપત્રને મંજુર કરવાની દરખાસ્ત મંજૂર કરાઇ છે. ઉપરાંત રોડ પ્રોજેક્ટ શાખા માટે પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 6 કરોડની મર્યાદામાં પેવર બ્લોકથી પેવીંગ કરી ફૂટપાથ કરવા માટે અગ્રવાલ કન્સ્ટ્રક્શનનું ટેન્ડર મંજુર કરવા તથા દક્ષિણ ઝોનમાં 5 કરોડની મર્યાદામાં વાર્ષિક ઇજારાથી આરસીસી રોડ બનાવવા શકુ કન્સ્ટ્રક્શનના  ઇજારાની મર્યામાં 5 કરોડનો વધારો કરવાની દરખાસ્ત પણ મંજૂર કરાઇ છે.



યોગ દિવસના દરખાસ્ત માં ચેરમેને ટાંગ અડાવી...
આમ તો સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી અધિકારીઓ સાથે ઘરોબો રાખવાની ફાવટ ધરાવતા જ આવ્યા છે. જો કે ભૂતકાળમાં તમામ કમિશ્નરો સાથે જોડી જમાવનાર સ્થાયી અધ્યક્ષ શિતલ મિસ્ત્રીને વર્તમાન કમિશ્નરે ભાવ જ ન આપતાં અને અલગ રાખતાં શિતલ મિસ્ત્રી ભડક્યા છે. કમિશનર ચૂંટાયેલી પાંખને સાથે રાખતા નથી તેવો બળાપો તો ભાજપના હોદ્દેદારો અવારનવાર વ્યક્ત કરતા જ હોય છે પણ હવે જ્યારે યોગ દિવસે સમા ખાતે આયોજીત પાલિકાના યોગ દિવસ ઉજવણીના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અતિથી હોવા છતાં કમિશનર તરફથી આવેલી આ વધારાની દરખાસ્ત પાસ કરવાનો શીતલ મિસ્ત્રીએ નન્નો ભણી દેતાં પાલિકાના વર્તુળોમાં ચકચાર મચી ગઇ હતી.આ વધારાની દરખાસ્તમાં શનિવાના કાર્યક્રમની જવાબદારી તથા ખર્ચની સત્તા કમિશ્નરને સોંપતી દરખાસ્ત હતી અને આ દરખાસ્તને પાસ કરવા શિતલ મિસ્ત્રીએ ના કહેતાં મામલો બિચક્યો હતો. એવું પણ જાણવા મળે છે કે શીતલ મિસ્ત્રીએ ના પાડી દેતાં મામલો સાંસદ અને શહેર પ્રમુખ પાસે પહોંચ્યો હતો. સત્તામાંથી ભાગીદારી જતા ધુંધવાયેલા શિતલ મિસ્ત્રીએ દરખાસ્ત પાસ કરવાની ના કહેતાં બાકી સભ્યોને સહી કરી દરખાસ્ત પાસ કરવા કમલમથી આદેશ થયો હતો જેથી અંતે શિતલ મિસ્ત્રીએ પણ દરખાસ્ત પર સહિ કરી હતી અને દરખાસ્ત પસાર કરી કમિશ્નરને મોકલાઇ..જો કે પાર્ટી હાઇકમાન્ડે શિતલ મિસ્ત્રીની ગેરશિસ્તની ગંભીર નોંધ લીધી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. 

સંકલનમાં ઉગ્ર ચર્ચા...
આમ તો વર્ષોથી પરંપરા રહી છે કે સ્થાયી સમિતીની બેઠક પહેલાં સંકલનની બેઠક મળે છે અને તેમા સ્થાયીમાં રજુ થયેલા કામો પર ચર્ચા કરવામાં આવે છે અને ત્યાં જ બધા નિર્ણય લેવાય છે.  સ્થાયીની બેઠક પહેલા પણ સંકલનની બેઠક મળી હતી જેમાં એક કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે 5 કરોડના કામ પર વધુ 7 કરોડ આપવામાં આવે તે દરખાસ્ત પણ આવી હતી અને આવું માત્ર વડોદરા કોર્પોરેશનમાં જ શક્ય છેજો કે સંકલનમાં થતી ચર્ચા બહાર આવતી જ નથી અને મીડિયાને પણ તેમાં નો એન્ટ્રી હોય છે પણ એક બે દરખાસ્તો પર સંકલનમાં ઉગ્ર ચર્ચા થઇ હોવાનું જાણવા મળે છે.  સંકલનમાં દક્ષિણ ઝોનમાં 5 કરોડની મર્યામાં આરસીસી રોડ બનાવાના કામે શકુ કન્સ્ટ્રક્શનને માણાકીય મર્યાદામાં 5 કરોડમાં વધુ 7 કરોડની મર્યાદા વધારવાની દરખાસ્ત હતી જેમાં ભારે હોબાળો થયો હતો. શકુ કન્સ્ટ્રક્શન કોર્પોરેટર ઘનશ્યામ પટેલનું કામ છે. તેમ એક સ્થાયી સભ્ય એ કીધું હતું જેથી એ કામ તો મજુર કરવું પડૅ તેમ સંકલન ના વર્તુળો માંથી જાણવા મળ્યું હતું. અને તેથી વિવાદ થયો હતો. સંકલનમાં વિરોધ હોવા છતાં પણ આખરે કામને મંજૂર કરાયું હતું.

અધિકારીનું કામ કરતા કેટલાક લોકો કોન્ટ્રાક્ટર થઇ ગયા...
સંકલનમાં કોર્પોરેટરનું કામ હોવાથી ભારે હોબાળો થયો હતો.  વોર્ડ નંબર 19ના કોર્પોરેટરે કહ્યું કે આ તો ઘનશ્યામ પટેલનું કામ છે એટલે કરવું પડે. કોર્પોરેશનમાં અત્યારે એવી સ્થિતી છે કે અધિકારીનું કામ કરતા કેટલાક લોકો કોન્ટ્રાક્ટર થઇ ગયા છે. અને કોન્ટ્રાકટરનું કામ કરતા કરતા કેટલાક કોર્પોરેટર થઇ ગયા છે. હવે તો કહી શકાય કે સ્થાયી પહેલા તમામ કામો સંકલનમાં મંજૂર કરાવવા પડે છે અને સંકલનમાં મંજૂર થાય એટલે સ્થાયીમાં મંજૂર જ થઇ જાય છે જેથી કોન્ટ્રાક્ટર હવે જો ભ્રષ્ટાચાર કરે તો કોર્પોરેશન જેટલી જવાબદાર છે તેટલી જ જવાબદાર સંકલન પણ છે. સંકલન સામે પણચીંધાવી જોઇએ. નવા પ્રમુખ આવ્યા છે ત્યારથી સ્થાયીમાં સડસડાટ તમામ કામો મંજૂર થાય છે તે પણ નોંધનીય છે. 
ખાલી ચર્ચા થઇ હતી...
ખાલી ચર્ચા થઇ હતી છેલ્લી ઘડીએ કામ આવ્યું હતું જેથી ચર્ચા થઇ હતી પણકોઇ બનાવ બન્યો નથી. 
શીતલ મિસ્ત્રી, ચેરમેન
કોંગ્રેસ કેમ ચૂપ છે...
નવાઇની વાત એ છે કે 
છાશવારે કોર્પોરેશનના શાસકોની વારંવાર ખામી કાઢીને મોરચા કાઢતા કોંગ્રેસના કોર્પોરેટરો અને ખુદ શહેર કોંગ્રેસ પણ કોર્પોરેશનની સ્થાયીમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચાર સામે ચૂપ છે. કોંગ્રેસ કોર્પોરેશનના તમામ કખામી કાઢીને કૂદી તો પડે છે પણ સ્થાયીમાં ભ્રષ્ટાચાર થાય ત્યારે ચુપ થઇ 

Reporter: admin

Related Post