News Portal...

Breaking News :

મ્યાનમારમાં સેનાના હવાઈ હુમલામાં 40 લોકોના મૃત્યુ : આગમાં સેંકડો ઘરો બળીને રાખ

2025-01-10 09:49:08
મ્યાનમારમાં સેનાના હવાઈ હુમલામાં 40 લોકોના મૃત્યુ : આગમાં સેંકડો ઘરો બળીને રાખ


રંગુન: મ્યાનમારમાં સેના  દ્વારા પશ્ચિમ વિસ્તારમાં સેના દ્વારા હવાઈ હુમલો (એર સ્ટ્રાઇક) કરવામાં આવ્યો છે. સશસ્ત્ર લઘુમતી વંશીય જૂથ દ્વારા નિયંત્રિત એક ગામ પર મ્યાનમાર સેનાના હવાઈ હુમલામાં 40 લોકોના મૃત્યુ થયાના અહેવાલો છે. 


આ ઘટનામાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે હવાઈ હુમલાને કારણે લાગેલી આગમાં સેંકડો ઘરો બળીને રાખ થઈ ગયા હતા.મળતી વિગતો અનુસાર આ હુમલો બુધવારે રામરી ટાપુ પર કયોક ની માવ ગામમાં થયો હતો, જે પશ્ચિમ રખાઇન રાજ્યમાં વંશીય લઘુમતી અરાકાન આર્મી દ્વારા નિયંત્રિત વિસ્તાર છે. જોકે સેનાએ આ વિસ્તારમાં કોઈ હુમલાની પુષ્ટિ કરી નથી. 


આ વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન સેવા લગભગ ખોરવાઈ ગઈ હોવાથી ગામની પરિસ્થિતિની પુષ્ટિ થઈ શકી નથી.ફેબ્રુઆરી 2021માં આંગ સાન સુ ચીની ચૂંટાયેલી સરકારના બળવા પછી મ્યાનમાર હિંસાનો સામનો કરી રહ્યું છે. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોને કચડી નાખવા માટે સેના દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યા બાદ લશ્કરી શાસનના ઘણા વિરોધીઓએ શસ્ત્રો ઉપાડ્યા હતા. જેના લીધે દેશના મોટાભાગના ભાગોમાં સૈન્ય અને વિરોધીઓ વચ્ચે અથડામણો ચાલુ છે.

Reporter: admin

Related Post