નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે
પટના : ૧૪ એપ્રિલ, ૨૦૨૬ના રોજ બિહારના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ બનવાનો છે. આજે બિહારમાં નીતીશ યુગનો અંત થશે. નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. રાજ્યપાલ સાથે તેમની મુલાકાત બપોરે ૩:૧૫ વાગ્યે થવાની છે. હવે મોટો પ્રશ્ન એ છે કે નીતિશ પોતાના અનુગામી તરીકે કોને પસંદ કરશે; હાલ તો આ મુદ્દાને લઈને સસ્પેન્સ યથાવત છે.નીતિશ કુમાર આજે ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપીને પોતાના દિવસની શરૂઆત કરશે.
પહેલા તેઓ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને માળા અર્પણ કરશે. રાજીનામું આપતા પહેલા આ તેમના અંતિમ જાહેર કાર્યક્રમોમાંનો એક માનવામાં આવી રહ્યો છે.નીતિશ કુમાર માટે આજે બપોરે ૩:૧૫ વાગ્યે રાજ્યપાલને મળવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જ્યાં તેઓ બિહારના મુખ્યમંત્રી પદ પરથી ઔપચારિક રીતે રાજીનામું આપશે. ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે નીતિશ કુમાર મંગળવાર ૧૪ એપ્રિલ ના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે અને હવે, આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે.
Reporter: admin







