News Portal...

Breaking News :

ભગવાન નરસિંહજીનો 288 મો વરઘોડોને લઈ આજે ભગવાન નરસિંહજીની ચાંદલા વિધિ કરવામાં આવી.

2025-11-05 12:02:20
ભગવાન નરસિંહજીનો 288 મો વરઘોડોને લઈ આજે ભગવાન નરસિંહજીની ચાંદલા વિધિ કરવામાં આવી.


વડોદરા શહેર માં ઐતિહાસિક ભગવાન નરસિંહજી નો 288 મો વરઘોડોને લઈ આજે ભગવાન નરસિંહજીની ચાંદલા વિધિ કરવામાં આવી.



કાર્તિકી પૂનમ દેવ દિવાળીએ ભગવાન નરસિંહજીના લગ્ન તુલસીજી સાથે થાય છે. આ પ્રસંગે માંડવી રોડ સ્થિત નરસિંહજીની પોળમાં મંદિરે આજે નરસિંહજી ભગવાનની ચાંદલા વિધિમાં હજારો ભક્તો એ ભગવાન નરસિંહજીને ચાંદલા વિધિ જોડાયા. આજે ચાંદલા વિધિ બાદ ભગવાન નરસિંહજીનો ૨૮૮મો વરઘોડો કાઢવામાં આવશે. આ વરઘોડામાં ભજન મંડળી સાથે બેડ બાજા સાથે હજારો ની સંખ્યામાં વરઘોડામાં જોડાશે. 


આ વરઘોડામાં બાળકો પણ વેશભૂષા ધારણ કરી જોડાશે. આ વરઘોડો નરસિંહજી ની પોળ માંથી નીકળશે અને તુલસી વાડી ખાતે પહોંચી ને તુલસી માતા સાથે વિવાહ થશે. આજે નરસિંહજી ની પોળમાં નરસિંહજી ભગવાન ની ચાંદલા વિધિ કરવામાં આવી

Reporter: admin

Related Post