News Portal...

Breaking News :

થાઈલેન્ડ જતાં ભારતીયો માટે નિયમ બદલાયો, હવે વિઝા વગર માત્ર 30 દિવસ રહી શકાશે

2026-09-02 17:34:22
થાઈલેન્ડ જતાં ભારતીયો માટે નિયમ બદલાયો, હવે વિઝા વગર માત્ર 30 દિવસ રહી શકાશે

થાઈલેન્ડ જતાં ભારતીય પ્રવાસીઓ માટે વિઝા-ફ્રી મુસાફરીને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 15 સપ્ટેમ્બર 2026થી ભારતીય પાસપોર્ટ ધારકો વિઝા વગર થાઈલેન્ડમાં વધુમાં વધુ 30 દિવસ સુધી રહી શકશે. અગાઉ આ સમયગાળો 60 દિવસનો હતો.

થાઈલેન્ડ સરકારે 31 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરેલી સૂચના દ્વારા આ ફેરફાર કર્યો છે. ભારત સહિત લગભગ 60 દેશોના નાગરિકો માટે વિઝા-ફ્રી રોકાણની અવધિ ઘટાડીને 30 દિવસ કરવામાં આવી છે.

જોકે, ભારતીય પ્રવાસીઓ માટે થાઈલેન્ડની વિઝા-ફ્રી સુવિધા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી નથી. એટલે કે પ્રવાસન માટે થાઈલેન્ડ જતાં ભારતીયોને અગાઉથી વિઝા લેવાની જરૂર રહેશે નહીં, પરંતુ તેઓ વિઝા વગર માત્ર 30 દિવસ સુધી જ રહી શકશે.

જો કોઈ ભારતીય નાગરિક 30 દિવસથી વધુ સમય સુધી થાઈલેન્ડમાં રહેવા માંગે છે, તો લાંબા સમયના રોકાણ માટે યોગ્ય થાઈ વિઝા માટે અરજી કરવી પડશે.

આ ફેરફાર લાંબી રજાઓ અથવા વિસ્તૃત પ્રવાસનું આયોજન કરતા ભારતીય પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ છે. તેથી 15 સપ્ટેમ્બર પછી થાઈલેન્ડ જતાં પહેલાં મુસાફરોએ નવા નિયમો અનુસાર પોતાની મુસાફરીની અવધિ અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરી લેવી જોઈએ.

Reporter: admin

Related Post