મહેન્દ્ર સિંહ ધોનીના IPL ભવિષ્યને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના પૂર્વ બેટર સુબ્રમણ્યમ બદ્રીનાથે મોટો દાવો કર્યો છે. બદ્રીનાથના જણાવ્યા અનુસાર, જો ધોની IPLમાં આગળ પણ રમશે તો તેઓ ઈમ્પેક્ટ પ્લેયરની ભૂમિકા નિભાવવા માંગતા નથી. માહીની ઈચ્છા ફુલટાઈમ વિકેટકીપર તરીકે સમગ્ર 20 ઓવર મેદાન પર રહેવાની છે.
બદ્રીનાથે કહ્યું કે ટીમના દૃષ્ટિકોણથી ધોનીનું ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવું વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે તેમની બેટિંગની ભૂમિકા હવે મર્યાદિત બની ગઈ છે. જોકે, ધોની વિકેટકીપિંગ સાથે મેદાન પર રહેવા માંગે છે. બદ્રીનાથે એમ પણ કહ્યું કે લાંબા સમય સુધી વિકેટકીપિંગ કરવું ધોનીના શરીર માટે પડકારરૂપ બની શકે છે.
IPL 2027માં રમવા અંગે નિર્ણય બાકી
ધોની 2026ની સિઝનમાં CSKનો હિસ્સો હતા, પરંતુ તેમણે એક પણ મેચ રમી નહોતી. 2027ની સિઝનમાં તેમની વાપસી થશે કે નહીં, તે અંગે હજુ સુધી ધોની અથવા ફ્રેન્ચાઇઝી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ધોનીએ CSKને 2010, 2011, 2018, 2021 અને 2023માં પાંચ IPL ખિતાબ અપાવ્યા છે. તેઓ IPLમાં અત્યાર સુધી 278 મેચ રમી ચૂક્યા છે અને 5,439 રન બનાવ્યા છે.
ધોનીએ CSKને 2010, 2011, 2018, 2021 અને 2023માં પાંચ IPL ખિતાબ અપાવ્યા છે. તેઓ IPLમાં અત્યાર સુધી 278 મેચ રમી ચૂક્યા છે અને 5,439 રન બનાવ્યા છે.
Reporter: admin







