જૂનાગઢ : જિલ્લાના કેશોદ તાલુકાના કાલવાણી ગામમાં ખનીજ માફિયાઓના ત્રાસે એક યુવકનો ભોગ લીધો છે.
ગેરકાયદે ખનીજ ચોરી સામે અવાજ ઉઠાવનાર એક જાગૃત નાગરિકને ભૂમાફિયાના અસહ્ય ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરવું પડ્યું છે. મૃતકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે અનિરુદ્ધસિંહ જખિયા નામના શખસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે અને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
બોટાદમાં ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી, 2ના મોત, 16થી વધુ ઈજાગ્રસ્તમૃતક યુવકે વીડિયોમાં પોતાની આપવીતી વર્ણવી છે. વીડિયોમાં તેણે ખુલાસો કર્યો હતો કે, આ વિસ્તારમાં ચાલતી બેફામ ગેરકાયદે ખનીજ ચોરી અંગે સંબંધિત વિભાગોમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ ભૂમાફિયા અનિરુદ્ધસિંહ જખિયા તેને સતત નિશાન બનાવી રહ્યો હતો. યુવકનો આરોપ છે કે તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની સતત ધમકીઓ આપવામાં આવતી હતી, જેના કારણે તે ગંભીર માનસિક તણાવ અને ડરમાં જીવી રહ્યો હતો. આખરે, આ ત્રાસથી કંટાળીને તેણે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો.
Reporter: admin







