મુંબઈ : રિપોર્ટ અનુસાર અપડેટ કરાયેલા નિયમન હેઠળ હવે ધિરાણકર્તાઓ અને લોન લેવાનાઓની ગતિવિધિની રિપોર્ડ ક્રેડિટ બ્યુરોને દર 15 દિવસે આપવી પડશે, જ્યારે અગાઉ તે એક મહિનાનો અંતરાલ હતો.
રેકોર્ડ્સ વધુ વખત અપડેટ થવાથી ઋણ લેનારાઓને વધુ તપાસનો સામનો કરવો પડશે, જે એકસાથે ઘણી લોન લેવાની તકો ઘટાડશે. RBIએ જણાવ્યું હતું કે, રિપોર્ટિંગ સાયકલને નાની કરવાથી ધિરાણકર્તાઓના જોખમનું મૂલ્યાંકન કરવાની ક્ષમતામાં સુધારો થશે.ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની CRIF હાઇ માર્કના ચેરમેન સચિન સેઠે જણાવ્યું કે, 'સમાન માસિક હપ્તા (EMIs) આખા મહિના દરમિયાન અલગ-અલગ તારીખે આવે છે. મહિનામાં એકવાર ડેટા રિપોર્ટ કરવાથી ડિફોલ્ટ્સ અથવા રિપેમેન્ટ્સ પર અપડેટ્સમાં 40 દિવસ સુધી વિલંબ થઈ શકે છે, જેના કારણે ક્રેડિટ મુલ્યાંકન માટે જૂની માહિતી થઈ શકે છે.
15-દિવસના રિપોર્ટિંગ સાઈકલ પર સ્વિચ કરવાથી આ વિલંબમાં નોંધપાત્ર ઘટાડો થશે. ધિરાણકર્તાઓને હવે વધુ સચોટ અને સમયસર ડેટાની ઍક્સેસ હશે.SBIના ચેરમેન સી.એસ. સેટીએ એક ઈન્ટરવ્યૂમાં નવા ઋણધારકોએ ઘણા ધિરાણકર્તાઓ પાસેથી લોન લેવાના મુદ્દા વિશે વાત કરી હતી, જે ઘણીવાર તેમની પુન:ચુકવણી ક્ષમતાની બહાર હોય છે. તેમણે જણાવ્યું હતું કે SBIએ ઉધાર લેનારાઓની વર્તણૂકનું સ્પષ્ટ ચિત્ર પ્રદાન કરવા માટે વધુ વારંવાર અપડેટ કરવાનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું કે, 'આ પગલું વ્યક્તિઓ દ્વારા વધુ પડતી ઉધાર લેવાને રોકવામાં મદદ કરશે.
Reporter: admin