News Portal...

Breaking News :

ભુવનેશ્વરમાં ભ્રષ્ટાચારનો મોટો પર્દાફાશ: 2 કરોડ રોકડા જપ્ત

2026-06-07 10:45:59
ભુવનેશ્વરમાં ભ્રષ્ટાચારનો મોટો પર્દાફાશ: 2 કરોડ રોકડા જપ્ત


ભુવનેશ્વરમાં ભ્રષ્ટાચારનો મોટો પર્દાફાશ: 2 કરોડ રોકડા જપ્ત

ઓડિશાના કંધમાલ જિલ્લાના બલિગુડા સ્થિત ITDAમાં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે કાર્યરત બૈકુંઠ નાથ બેહેરા સામે આવક કરતાં વધુ સંપત્તિનો મોટો ખુલાસો થયો છે. શરૂઆતમાં માત્ર ₹6,000 માસિક પગારથી સરકારી સેવા શરૂ કરનાર આ અધિકારીની કરોડોની મિલકત સામે આવતા વિજિલન્સ વિભાગે વિશાળ કાર્યવાહી હાથ ધરી છે.ઓડિશા વિજિલન્સને મળેલી ફરિયાદના આધારે ભુવનેશ્વરના વિશેષ ન્યાયાધીશ (વિજિલન્સ) દ્વારા સર્ચ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભુવનેશ્વર, જાજપુર, બારીપદા અને કંધમાલ જિલ્લામાં કુલ 9 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 2 એડિશનલ SP, 5 DSP, 6 ઇન્સ્પેક્ટર સહિત મોટી ટીમ તૈનાત કરવામાં આવી હતી.તપાસમાં અત્યાર સુધી 5 આલીશાન બહુમાળી ઇમારતો, 13 પ્લોટ અને અનેક સોનાના દાગીના મળી આવ્યા છે.

 ભુવનેશ્વરના નીલાદ્રી વિહાર વિસ્તારમાં 10,500 ચોરસ ફૂટમાં ફેલાયેલ 4 માળનું વિશાળ મકાન પણ મળી આવ્યું છે, જે તપાસકર્તાઓ માટે સૌથી ચોંકાવનારી બાબત બની છે. ઉપરાંત પટિયા અને ચંદ્રશેખરપુર વિસ્તારમાં બે-બે માળના મકાનો તેમજ જાજપુરમાં પૈતૃક બે માળનું મકાન પણ સામે આવ્યું છે.સૌથી મોટો ખુલાસો એ થયો કે એન્જિનિયરની પત્નીના નામે બે બેંક લોકરમાંથી અંદાજે ₹2 કરોડ રોકડા મળી આવ્યા છે. નોટોની ગણતરી માટે બેંક મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ 4 થી 5 બેગોમાં ભરેલી મોટી રકમ પણ જપ્ત કરવામાં આવી છે.અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં માત્ર રોકડ જ નહીં પરંતુ જમીન-મકાન અને રોકાણ સહિત કુલ સંપત્તિ કરોડોમાં હોવાનો અંદાજ લગાવ્યો છે. અત્યાર સુધી 13 પ્લોટ મળી આવ્યા છે, જેમાં ભુવનેશ્વર, જાજપુર અને બારીપદાના વિસ્તારોનો સમાવેશ થાય છે.વિજિલન્સ વિભાગનું કહેવું છે કે તપાસ હજી ચાલુ છે અને સંપૂર્ણ હિસાબ બાદ જ સાચી સંપત્તિનો આંકડો બહાર આવશે. આ કેસ તાજેતરના વર્ષોમાં ઓડિશાની સૌથી મોટી આવક કરતાં વધુ સંપત્તિની કાર્યવાહીઓમાંનો એક માનવામાં આવી રહ્યો છે.

Reporter: admin

Related Post