ભારતીય સંગીત જગતના મહાન ગાયક અને ‘સિંગર ઓફ ધ મિલેનિયમ’ તરીકે જાણીતા સ્વ. કિશોર કુમાર (કિશોર દા)ની 97મી જન્મજયંતી નિમિત્તે વડોદરા શહેરમાં સંગીત પ્રેમી ગ્રુપ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે કિશોર દાના ચાહકો અને સંગીતપ્રેમીઓ એકત્ર થયા હતા. તેમણે કેક કાપી, ચોકલેટ વહેંચી તેમજ કિશોર કુમારના સદાબહાર ગીતો ગાઈને પોતાના પ્રિય ગાયકને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ચાહકોએ જણાવ્યું હતું કે કિશોર દા તેમના માટે માત્ર ગાયક નહીં પરંતુ સંગીતના ભગવાન સમાન છે. તેમના ગીતોએ જીવનના દરેક પ્રસંગે આનંદ અને શાંતિ આપી છે. બાળપણથી જ રેડિયો પર કિશોર દાના ગીતો સાંભળીને અનેક પેઢીઓ મોટી થઈ છે.
Reporter: admin







