દિલ્હી : પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતના એક પછી નીતગત નિર્ણયો પછી મંગળવાર મધરાતથી ભારત કાળ બનીને પાકિસ્તાનના આતંકવાદી કેમ્પ પર વરસ્યું છે
ત્યારે ગુરુવારે દિવસ દરમિયાન અનેક શહેરો પર એટેક કર્યા પછી પાકિસ્તાને ભારતના સરહદી વિસ્તારો પર આક્રમક હુમલો કર્યો હતો. આ હુમલાનો વળતો જવાબ આપવા માટે ભારતીય નૌકાદળે પોર્ટ સિટી પર હુમલો કર્યો હતો.ભારતીય નૌકાદળે પાકિસ્તાનના કરાચી પોર્ટ પર મિસાઈલથી હુમલો કર્યો છે. આ હુમલામાં કરાચી પોર્ટને મોટું નુકસાન થયું હતું. પાકિસ્તાન વચ્ચેના તણાવની વચ્ચે ભારતીય નૌકાદળે આઈએનએસ વિક્રાંતને અરબ સાગરમાં તહેનાત કર્યું હતું.
નૌકાદળે સ્ટ્રાઈક શિપ કરવર કિનારા પર લાંગરી હતી.ભારતે આઈએનએસ વિક્રાંત પરથી હુમલો કર્યો છે. કરાચી હાર્બર પર એકસાથે એક કરીને દસ જેટલા ધડાકા થતા પોર્ટને મોટું નુકસાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ભારતીય નૌકાદળના હુમલામાં કરાચી અને ઓરમારા પોર્ટને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે.
Reporter: admin