વડોદરા: દેશભરમાં ગુરુપૂર્ણિમાનો પાવન પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. ત્યારે વડોદરા શહેરના ઐતિહાસિક કીર્તિ મંદિર પરિસરમાં આવેલા પૌરાણિક શ્રી દત્તાત્રેય મંદિરમાં પણ ગુરુપૂર્ણિમા મહોત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.

મંદિરના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ મંદિરમાં ગાયકવાડ સરકારના ગુરુ તરીકે માન્ય મહારાજની સમાધિ આવેલી છે. તેમના ગુરુસ્થાન તરીકે અહીં શ્રી દત્તાત્રેય ભગવાનની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિર વડોદરાના અતિ પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા મંદિરોમાંનું એક ગણાય છે.
ગુરુપૂર્ણિમા નિમિત્તે સવારે ભગવાન શ્રી દત્તાત્રેયનો વિશેષ અભિષેક અને મહાપૂજા કરવામાં આવી હતી. સવારે 8:30 વાગ્યે મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન અને પૂજાનો લાભ લીધો હતો. ઉપરાંત સાંજે 8:30 વાગ્યે ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Reporter: admin







